સુપ્રીમ કોર્ટે બંધારણની પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવેલા સમાજવાદ અને સેકયુલર શબ્દોને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે ૪૪ વર્ષ પછી ૪૨મા બંધારણીય સુધારા દ્રારા પ્રસ્તાવનામાં ઉમેરાયેલા આ બે શબ્દોને પડકારવા પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આટલા લાંબા સમય પછી પડકાર આપવાનો કોઈ વ્યાજબી આધાર જણાતો નથી. અરજી પર વિગતવાર વિચાર કરવાની કોઈ જર જણાતી નથી.
કોર્ટે કહ્યું કે એ વાત સાચી છે કે બંધારણ સભા પ્રસ્તાવનામાં 'સમાજવાદ' અને 'સેકયુલર' શબ્દો ઉમેરવા માટે તૈયાર નથી, પરંતુ સંસદને તેમાં સુધારો કરવાની સત્તા આપવામાં આવી છે. સમય જતાં, ભારતે બિનસાંપ્રદાયિકતાનું પોતાનું અર્થઘટન વિકસાવ્યું છે. આ સિદ્ધાંત બંધારણની કલમ ૧૪, ૧૫ અને ૧૬માંથી આવે છે જે ધર્મના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે.
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદામાં કહ્યું કે બંધારણ એક જીવતં દસ્તાવેજ છે. સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની નિર્વિવાદ શકિત છે અને આ સત્તા પ્રસ્તાવનાના સુધારા સુધી વિસ્તરે છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને અન્યની ત્રણ અરજીઓને પણ ફગાવી દીધી હતી.
ત્રણેય અરજીઓમાં, કટોકટી દરમિયાન ૧૯૭૬માં તત્કાલિન ઈન્દિરા ગાંધી સરકાર દ્રારા ૪૨મા સુધારા દ્રારા બંધારણની પ્રસ્તાવનામાં 'સમાજવાદ' અને 'સેકયુલર' શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે આ બે શબ્દો શઆતમાં બંધારણમાં નહોતા, તે પછી ઉમેરવામાં આવ્યા હતા અને તે પણ અગાઉની તારીખથી એટલે કે બંધારણ અપનાવવાની તારીખ, ૨૬ નવેમ્બર, ૧૯૪૯. અરજીઓને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે બંધારણની કલમ ૩૬૮ સંસદને બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપે છે. જો અરજદારોની પૂર્વવર્તી રીતે સુધારાને લાગુ કરવાની અરજી સ્વીકારવામાં આવે છે, તો આ બંધારણના કોઈપણ ભાગમાં કરાયેલા સુધારાને સમાન રીતે લાગુ પડશે.
તે કાયદા સમક્ષ સમાનતા અને રોજગારની તકોમાં સમાનતાની પણ ખાતરી આપે છે. પ્રસ્તાવનાના મૂળભૂત તત્વો સમાનતા, બંધુત્વ અને ગૌરવ છે. બંધારણમાં ધાર્મિક અને ભાષાકીય અલ્પસંખ્યકોને આપવામાં આવેલા વિવિધ અધિકારોનો ઉલ્લેખ કરતાં કોર્ટે કહ્યું કે આ હોવા છતાં, કલમ ૪૪ની નીતિના નિર્દેશક સિદ્ધાંતોએ સરકારને નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પ્રયાસ કરવાની મંજૂરી આપી છે.
કેશવાનદં ભારતી સહિત અગાઉના ઘણા નિર્ણયોમાં કહેવામાં આવ્યું છે કે ધર્મનિરપેક્ષતા એ બંધારણનું મૂળ તત્વ છે. આ સિદ્ધાંત સમાનતાના અધિકારના એક પાસાને રજૂ કરે છે. ભારતીય પરિપ્રેયમાં સમાજવાદનો અર્થ સરકારની આર્થિક નીતિઓ પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ. કોર્ટે કહ્યું કે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગરને વધુ રેલ સુવિધાની ઉપલબ્ધધિ આડે સમસ્યા અંગે ડીઆરયુસીસી કમિટીનું હકારાત્મક વલણ
May 02, 2025 02:40 PMશેરબજારમાં તેજી: સેન્સેક્સ ૮૧૦૦૦ સપાટી કુદાવી ૯૩૫ પોઈન્ટ ઉછળ્યો
May 02, 2025 02:40 PMગણેશ ચતુર્થીએ મંદિરોમાં ભાવિકોએ કરી આરાધના
May 02, 2025 02:38 PMલંડનની યુનિ.માં અડધી ફીમાં પ્રવેશની લાલચમાં યુવાને ૪.૮૦ લાખ ગુમાવ્યા
May 02, 2025 02:34 PMબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech