શ્રાવણના પ્રથમ દિવસે પ્રભાતની પવિત્ર આભા વચ્ચે સોમનાથ મહાદેવના પ્રથમ દર્શન જાણે શ્રદ્ધાને સ્વરૂપ મળ્યું હોય એવી અનુભૂતિ કરાવે છે; એક તરફ અનાદિકાળથી ગર્જતો અરબી સમુદ્ર, બીજી તરફ સમયના અસંખ્ય પ્રહારો સહન કરીને અડગ ઊભેલું સોમનાથનું શિખર અને મધ્યમાં જ્યોતિર્લિંગના શાંત, તેજસ્વી દર્શન, જ્યાં ભક્તિ, ઇતિહાસ અને અનંત શિવતત્ત્વ એક જ ક્ષણે એકરૂપ થઈ જાય છે.