પોરબંદરના કુંભારવાડા સહિતના વિસ્તારોમાં ફાયરબ્રિગેડની ટીમ સ્થળાંતર કરાવી રહી છે.
પોરબંદર જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારમાં અતિ ભારે પડેલા વરસાદને કારણે પોરબંદર શહેરમાં કર્લી જળાશય સહિતના વોંકળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીના પ્રવાહની આવક થઈ છે.
નિચાણવાળા વિસ્તારોમાં અમુક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આ અંગે ફાયર બ્રિગેડ વિભાગના રાજીવભાઈના જણાવ્યા મુજબ ખાડી વિસ્તાર, ઘાસ ગોડાઉન, કુંભારવાડા, કડીયા પ્લોટ અને મીલપરા સહિતના વિસ્તારોમાં ઉપરવાસના વરસાદના પાણી ભરાયા છે. છ ટીમ બનાવી પાણીગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
ગાયત્રી મંદિર અને ઘાસ ગોડાઉન વિસ્તારમાંથી લોકોના રેસક્યુ કરવાની કામગીરી કરાઈ રહી છે. લોકોનું સલામત સ્થળે આશ્રય સ્થાનો પર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્થળાંતર કરવામાં આવી રહ્યા હોવાનું ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech