જંગલમાં માનવ હસ્તક્ષેપ ઝડપથી વધી રહ્યો છે. આનું પરિણામ એ આવે છે કે જંગલી પ્રાણીઓને ઘરની બહાર આવવું પડે છે. આવી સ્થિતિમાં પશુઓ અનેક પ્રકારના અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે. આવું ખાસ કરીને ભારતમાં હાથીઓ સાથે થઈ રહ્યું છે. દર વર્ષે શિકારીઓ કરતાં તંત્રની બેદરકારીના કારણે વધુ અકસ્માતોમાં હાથીઓ જીવ ગુમાવે છે.
ક્યારેક ટ્રેનની અડફેટે તો ક્યારેક ઈલેક્ટ્રીક શોકને કારણે તેઓ મૃત્યુ પામે છે. શિકાર અને આબોહવા પરિવર્તનને કારણે માર્યા ગયેલા કરતાં વધુ હાથીઓ દર વર્ષે ઈલેક્ટ્રીક શોકને કારણે માર્યા જાય છે. જાણો હાથીઓના મોત પર ભારત સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા કેટલા ભયાનક છે.
તંત્રની બેદરકારી અને હાથીઓના મોત
હાથીઓના મોત અંગે સંસદમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી કીર્તિ વર્ધન સિંહે આપેલો ડેટા ચોંકાવી દેશે. આ ડેટા અનુસાર, 2019-20માં ટ્રેન દુર્ઘટનામાં 14 હાથીઓના મોત થયા છે. જ્યારે 2023-24માં ટ્રેન અકસ્માતમાં હાથીઓના મૃત્યુની સંખ્યા વધીને 17 થઈ ગઈ હતી.
વીજળી, શિકાર અને ઝેરના કારણે મૃત્યુ
આ જ રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે હાથીઓના મૃત્યુ માટે ઇલેક્ટ્રિક શોક, ઝેર અને શિકારીઓ પણ જવાબદાર છે. એકલા વર્ષ 2019-20માં જ 76 હાથીઓ વીજળીના આંચકાથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2023-24માં આ સંખ્યા વધીને 94 થઈ ગઈ. ગેરકાયદેસર શિકારની વાત કરીએ તો વર્ષ 2019-20માં શિકારીઓ દ્વારા 9 હાથીઓને મારી નાખવામાં આવ્યા હતા. જ્યારે 2023-24માં પણ શિકારીઓ દ્વારા 9 હાથીઓને મારી નાખવામાં આવ્યા હતા. ઝેરના કારણે માર્યા ગયેલા હાથીઓની વાત કરીએ તો વર્ષ 2023-24માં ઝેરના કારણે એક હાથીનું મોત થયું હતું.
હાથીઓ અને સામાન્ય લોકો વચ્ચે સંઘર્ષ
એક તરફ તંત્રની બેદરકારીના કારણે હાથીઓના મોત થઈ રહ્યા છે તો બીજી તરફ હાથીઓ અને માનવીઓ વચ્ચેના સંઘર્ષમાં માણસો પણ જીવ ગુમાવી રહ્યા છે. લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ 2019-20માં હાથીઓના કારણે 586 લોકોના મોત થયા છે. જ્યારે 2023-24માં આ સંખ્યા વધીને 629 થઈ ગઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech