શહેરમાં વધુ એક પરિણીતાએ લેટની અગાસીએથી પડતું મૂકી આપઘાત કરી લીધાનો બનાવ નોંધાયો છે, અંબિકા ટાઉનશીપમાં ચોથા માળે રહેતી પરિણીતાએ ફલેટની અગાસીએથી ઝંપલાવી લેતા ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપયું હતું. બનાવના પગલે વાપી રહેતા પરિણીતાના માવતરએ પોલીસ સમક્ષ જમાઈ દીકરીને ત્રાસ આપતા હોવાથી પગલું ભરી લીધાનો આક્ષેપ કર્યેા છે.
પ્રા વિગત મુજબ નાના મવા રોડ પર અંબિકા ટાઉનશીપમાં ચોથા માળે રહેતી નિમિષાબેન જીતભાઈ શોભાતરા (ઉ.વ.૨૪) નામની નવોઢાએ ગત સાંજના સમયે લેટની અગાસીએથી પડતું મુકતા પતિ તેમજ આસપાસના રહેવાસીઓ દોડી ગયા અને કોઈએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ આવી પહોંચી ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી તાલુકા પોલીસને ઘટનાની જાણ કરી હતી. બનાવના પગલે તાલુકા પોલીસ બનાવ સ્થળે પહોંચી જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં નિમિષાબેનના લ આઠેક મહિના પહેલા જ થયા હતા અને પતિ જીત કારખાનામાં નોકરી કરે છે. પતિ જીત પ્રફુલભાઇ શોભાતરાના કહેવા મુજબ બપોરે પત્ની અગાસીએ ગાદલા સુકવવાનું કહી ગઈ હતી અને થોડીવારમાં નીચે દેકારો થતા હત્પં દોડીને ગયો ત્યાં પત્ની લોહી લુહાણ હાલતમાં નીચે જોવા મળી હતી. તે પડી ગઈ છે કે આપઘાત કર્યેા એ વિશે મને ખબર નથી.
બનાવની જાણ વાપી રહેતા મૃતકના માવતરને કરવાં આવતા રાજકોટ આવી પહોંચ્યા હતા અને તેના પિતા ધર્મેશભાઈ જેન્તીભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, કાલે સવારે જ દીકરીએ ફોન કર્યેા હતો અને કહ્યું હતું કે, પપ્પા જીત મને તેની સાથે રાખવાની ના પાડે છે અને હેરાન કરે છે, આથી અમે જીત સાથે વાત કરીશું તેમ પણ સમજાવ્યુ હતું. વાત કર્યા બાદ સાંજે બનાવ બન્યા અંગેની જાણ થઇ હતી. માવતરે દીકરીને પતિ ત્રાસ આપતા હોવાથી પગલું ભર્યાનો આક્ષેપ કરતા તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે.
ગઈકાલે પણ રેલનગરમાં નાના મવામાં શ્યામ નગરમાં રહેતી પ્રકાશબા પ્રધુમનસિંહ ચૌહાણ નામની પરિણીતાએ લેટના છઠા માળેથી કૂદી જીવ દીધો હતો. ત્યારે બીજા દિવસે વધુ એક નવોઢાએ મોતની છલાંગ લગાવી લીધી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech