રાજકોટ ખાતે ગેમિંગ ઝોનમાં આગની ઘટનાના કારણે જાનહાનિ થઈ તે બાબતે ગંભીરતાપૂર્વક લઈ દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સિક્યુરિટીની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ ?તે અંગેની માહિતી સરકારે યુનિવર્સિટીઓ પાસેથી માગી હતી. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તારીખ 30 માર્ચ 2025 ના રોજ એક પરિપત્ર કરીને તમામ એફિલીએટેડ કોલેજોને આવી માહિતી પૂરી પાડવા સૂચના આપી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી આ સૂચનાનો અમલ કેટલી કોલેજોમાં કેટલા પ્રમાણમાં થયો છે? તેની ચકાસણી કરવા માટે યુનિવર્સિટીએ લોકલ ઇન્કવાયરી કમિટીની નિમણૂક કરી છે. આ કમિટી આગામી દિવસોમાં તબક્કાવાર તમામ કોલેજોની મુલાકાત લેશે અને જે તે કોલેજોમાં ફાયર એનઓસી, બીયુપી, ફાયર સેફ્ટીના સાધનો, પાણીની ટાંકી, બિલ્ડીંગનું બાંધકામ નિયમ મુજબ છે કે કેમ ?ફાયર એનઓસી રીન્યુ કરવામાં આવેલ છે કે કેમ ?વગેરે તમામ બાબતોની ચકાસણી કરશે. યુનિવર્સિટીએ આ બાબતે નક્કી કરાયેલા ફોર્મેટમાં માહિતી તૈયાર રાખવા અને જ્યારે કમિટી મુલાકાત લે ત્યારે આવી માહિતી લેખિતમાં આધાર પુરાવાઓ સાથે અને ફોટોગ્રાફ સાથે પૂરી પાડવાનો આદેશ કુલસચિવ દ્વારા તમામ કોલેજોને કરવામાં આવ્યો છે. જે કોલેજના સંચાલકો આવી માહિતી નહીં આપે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે સંસ્થાની રહેશે તેમ પણ જણાવાયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલે સરકાર અને યુનિવર્સિટી ગંભીર છે અને જો જરૂર પડશે તો જે તે કોલેજના જોડાણ રદ કરવા અથવા તો સ્થગિત કરવા જેવા નિર્ણયો લેવાની ફરજ પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ બાબતે દરેક કોલેજને પત્રક એ અને પત્રક બી મોકલ્યા છે. સાથોસાથ જે તે કોલેજના આચાર્ય અથવા વડાને પોતાની સહી સાથેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને તેમાં પોતાની કોલેજમાં ફાયર સેફ્ટીને લગતી તમામ બાબતો પરિપૂર્ણ છે તેવું લખાણ આપવું પડશે.
માત્ર ગ્રાઉન્ડ ફ્લોર ધરાવતી શૈક્ષણિક ઈમારતો, 9 મીટર થી ઓછી ઊંચાઈ હોય તેવી શૈક્ષણિક ઇમારતો માટે હાયર સેફટીના કેવા સાધનો હોવા જોઈએ ?તેની વિગતો પત્રક એ માં આપવામાં આવી છે, જ્યારે પત્રક બીમાં ફાયર એનઓસી, બિલ્ડીંગ યુઝ પરમિશન, કોલેજના દરેક માળ પર ફાયર સેફ્ટીની શું સુવિધા છે ?સ્ટાફને અને વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે શું કરવું તેની તાલીમ આપવામાં આવી છે કે નહીં? ફાયર એલાર્મની વ્યવસ્થા કોલેજમાં છે કે નહીં? જ્યારે આપાતકાલીન સંજોગો ઊભા થાય ત્યારે જે તે વિસ્તારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, મહાનગરપાલિકા કે નગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા વગેરેના નંબરો સૌ કોઈ સરળતાથી જોઈ શકે તેવી રીતે દર્શાવી શકે છે કે નહીં? તે સહિતની વિગતો માગવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech