મીઠુંએ રોજિંદા જીવનનો એક ભાગ છે. કારણ કે મીઠા વગરનો ખોરાક બેસ્વાદ લાગે છે. મીઠાને ‘સબરસ’ પણ કહેવામાં આવે છે. કોઈ પણ ખોરાકમાં મીઠાની ગેરહાજરી દરેક લોકોના ધ્યાનમાં આવી જાય છે. પણ શું જાણો છો કે એક એવું મીઠું પણ છે જેની કિંમત હજારોમાં છે. જાણો આ પાછળનું કારણ શું છે.
મીઠું જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મીઠાને સ્વાદનો રાજા પણ કહી શકાય, કારણ કે તેના વિના વાનગી એકદમ બેસ્વાદ લાગે છે. ભારતમાં, મીઠું 10 રૂપિયાથી 30 રૂપિયા પ્રતિ કિલો સુધી ઉપલબ્ધ છે.
મીઠું સ્વાદનો રાજા
મીઠા વગર ખોરાકની કલ્પના પણ કરી શકાતી નથી. કારણ કે મીઠું ખોરાકનો સ્વાદ વધારે છે. ખોરાક ગમે તેટલો સારો બનાવવામાં આવે પણ જો તેમાં મીઠું ન હોય તો ખોરાકનો સ્વાદ ખરાબ જ લાગશે. ભારતમાં ઘણા પ્રકારના મીઠા જોવા મળે છે. જેમાં મુખ્ય આયોડાઇઝ્ડ મીઠું, સિંધવ મીઠું (સિંધાલુણ) અને કાળું મીઠું છે. ઘરોમાં આયોડાઇઝ્ડ મીઠાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ત્યારે ઉપવાસ દરમિયાન સિંધાલુણનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતથી આખા દેશમાં આયોડાઇઝ્ડ મીઠું પહોંચે છે. જ્યારે સિંધાલુણ પાકિસ્તાનથી આવે છે.
એક કિલો મીઠાના હજારો રૂપિયા
જાણો એવા મીઠા વિશે જેની કિંમત હજારો રૂપિયા છે. જે દુનિયાના સૌથી મોંઘા મીઠામાં સમાવેશ થાય છે. તે કોરિયન મીઠું છે. તે ખાસ રીતે અને ખાસ ઘટકો સાથે બનાવવામાં આવે છે, જેના કારણે તેની કિંમત પણ વધારે છે. વાસ્તવમાં તે કોરિયન વાંસમાંથી બનાવવામાં આવે છે. તેને કોરિયન વાંસ મીઠું, જાંબલી વાંસ મીઠું અથવા જુગ્યોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 250 ગ્રામ કોરિયન મીઠું 7500 રૂપિયા ભાવે બજારમાં વેચાઈ રહ્યું છે.
કોરિયન મીઠું
કોરિયનો પ્રાચીન સમયથી રસોઈ અને પરંપરાગત દવા માટે વાંસના મીઠાનો ઉપયોગ કરતા આવ્યા છે. આ મીઠું વાંસની અંદર સામાન્ય દરિયાઈ મીઠું મૂકીને અને તેને ઊંચા તાપમાને શેકીને બનાવવામાં આવે છે. તેને એમિથિસ્ટ વાંસ કહેવામાં આવે છે. તે કોરિયામાં બને છે. તેને બનાવવામાં ઘણો સમય અને મહેનત પણ લાગે છે.
50 દિવસમાં તૈયાર થાય છે મીઠું
આ કોરિયન મીઠું બનાવવામાં 50 દિવસ લાગે છે. વાસ્તવમાં, મીઠાથી ભરેલી વાંસની પાઈપને ઊંચા તાપમાને ઘણી વખત ગરમ કરવામાં આવે છે, જેના કારણે વાંસના ગુણધર્મો મીઠામાં શોષાઈ જાય છે. તેને 800 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને ઓછામાં ઓછા નવ વખત રાંધવામાં આવે છે. આ જ કારણ છે કે આ મીઠાની કિંમત હજારો રૂપિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech