આતંકવાદી, શંકાસ્પદ તત્વોની હિલચાલ ઉપર નજર રાખવા રેલવે સ્ટેશન ઉપર જીઆરપી, આરપીએફ દ્વારા કડક ચેકિંગ

  • May 01, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ કાશ્મીરમાં પહેલગામ વિસ્તારમાં પ્રવાસીઓ ઉપર આતંકવાદી હુમલાના પગલે દેશભરમાં રેડ એલર્ટ જેવી સ્થિતિમાં આતંકવાદી પ્રવૃત્તિ અથવા દેશવિરોધી તત્વો ઉપર નજર રાખવા રાજકોટ સહિતના શહેરોના રેલવે સ્ટેશન ઉપર ગુજરાત રેલવે પોલીસ ઉપરાંત રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

જીઆરપીના ઇન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ. રાણાના જણાવ્યા મુજબ શંકાસ્પદ પ્રવૃત્તિ કરનારા અથવા બાંગ્લાદેશી કે અન્ય તત્વો દ્વારા સ્થળ બદલવાની હિલચાલ ઉપર નજર રાખવા ગુજરાત રેલવે પોલીસ અને રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા રેલવે સ્ટેશન ઉપર પેટ્રોલિંગ અને ચેકિંગ વધારી દેવાની સૂચના આપવામાં આવતા ડી સ્ટાફ સર્વેલન્સ સ્કવોડ, એલસીબી અને એસઓજી વગેરે દ્વારા સ્નિફર ડોગ, મેટલ ડિટેક્ટર, સ્કેનર સહિતના સાધનો વડે રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ, ટ્રેનો વગેરેમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં શંકાસ્પદ ઉતારુના લગેજ વગેરેની પણ સ્કેનિંગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે રેલવેના સૂત્રોમાંથી જણાવ્યા મુજબ, રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ આમ તો રોજગારી પ્રક્રિયા છે પરંતુ હાલ નવા સંજોગોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application