ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશન યાર્ડમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર ૧૯૨૬૯ પોરબંદર - મુઝફ્ફરપુર એક્સપ્રેસ બદલાયેલા રૂટ પર ચાલશે. વિગતો નીચે મુજબ છે:
આજે ૬ જૂન, ૨૦૨૫ની ટ્રેન નંબર ૧૯૨૬૯ પોરબંદર- મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ફુલેરા- જયપુર- રેવાડીને બદલે બદલાયેલા માર્ગ વાયા ફુલેરા- રિંગસ- રેવાડી થઈને ચાલશે. આ માર્ગ પરિવર્તન દરમિયાન, આ ટ્રેન બદલાયેલા માર્ગ પર રિંગસ, માધોપુર, નીમ કા થાણા, નારનૌલ અને અટેલી સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનના યાત્રીઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે તેમ જણાવાયું છે.
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી રાજકોટ- લાલકુઆં અને લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરોના રહેતા ટ્રાફિકને કારણે કાયમી ધોરણે બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અઃટ્રેન નંબર ૦૫૦૪૬/ ૦૫૦૪૫ પૈકી નં. ૦૫૦૪૬ રાજકોટ- લાલકુઆં સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનમાં રાજકોટથી ૦૯ જૂન, ૨૦૨૫ થી અને નં. ૦૫૦૪૫માં લાલકુઆંથી ૦૮ જૂન, ૨૦૨૫થી બે વધારાના જનરલ ક્લાસના કોચ જોડવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech