ભાવનગર નજીક કોળીયાક પાસે માલેશ્રી નદીના પ્રવાહના કોઝ વે પાસે બનેલી બસની દુર્ઘટનાના પ્રવાસીઓને સ્થાનિક લોકોની મદદથી તંત્રએ હેમખેમ બચાવી લીધા બાદ આજરોજ બપોરે અમદાવાદ જવા રવાના થયા હતા. આ તકે જિલ્લા કલેકટર આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણી સહિત અધિકારીઓને પ્રવાસીઓએ એમના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રવાસીઓને ભાવનગર કાળીયાબીડ ખાતે ઉમા ભવન ખાતે તેઓને રહેવા- જમવા સહિત સતત મેડિકલ ચેકઅપની સુવિધા આપવામાં આવી હતી. આ ઉપરાંત બસમાં રહેલો એમનો સામાન પણ સહી સલામત બધાને મળી ગયો હોવાની તકેદારી લેવામાં આવી હતી.આ પ્રવાસીઓ બસ મારફત અમદાવાદ જવા રવાના થયા હતા ત્યારબાદ ત્યાંથી ટ્રેન મારફત ચેન્નાઇ જશે.
આ તકે પ્રવાસીઓએ અધિકારીઓને મળીને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ કલેકટર આર. કે. મહેતાએ પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કરીને એમના અનુભવો જાણ્યા હતા અને હવે પછીની એમની યાત્રા સુખદાયી નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech