હરિયાણામાં મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં પંચકુલા જિલ્લામાં આવેલા જાસપુરમાં ઈંટના ભઠ્ઠાની દિવાલ ધરાશાયી થઈ છે. સમગ્ર ઘટના અનુસાર, આજે એટલે કે બુધવારે ઈંટના ભઠ્ઠામાં દિવાલ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ બાળકોના મોત થયા હતા, જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માત રાયપુર રાની વિસ્તારના જસપુર ગામમાં થયો હતો.
આ અંગે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકોના મૃતદેહને પોતાના કબજામાં લીધા હતા. હાલ પોલીસ બાળકોના પરિવારજનો અને ઈંટના ભઠ્ઠાના માલિકની પૂછપરછ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના પટવારી નાગલા ગામનો રહેવાસી પરિવાર 15 વર્ષથી કમલા ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે.
બુધવારે સવારે 11 કલાકની આસપાસ મજૂર પરિવાર ઈંટ બનાવવાનું કામ કરી રહ્યો હતો. તેના બાળકો નજીકમાં રમતા હતા. અચાનક દિવાલ ધરાશાયી થઈ અને 4 બાળકો નીચે દટાઈ ગયા હતા. આ પછી પરિવારજનોએ તરત જ ચારેય બાળકોને બહાર કાઢ્યા અને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડોક્ટરોએ બે બાળકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોની ઓળખ રાફિયા (ઉ.વ.6), મોહમ્મદ સાદ (ઉ.વ.5), જીશાન (ઉ.વ.2) તરીકે થઈ છે. ઇજાગ્રસ્ત બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech