સિહોર પાસેનાં ઘાંઘળીથી પસાર થતા ભાવનગર વલ્લભીપુર હાઇવે ફરી વખત રક્તરંજિત બન્યો હતો. પરપ્રાંતીય યુવાનો પોતાની નોકરી એ જવા નીકળ્યા હતા ત્યાં જ રસ્તા પર કાળ આંબી ગયો હતો. આ બનાવ બનતા સિહોર વસતા પરપ્રાંતિય ઓમાં શોક ની લાગણી છવાઈ ગઈ હતી.
સિહોર તાલુકાના ઘાંઘળી પાસે આવેલ રાઘવ પેટ્રોલ પંપ પાસે આવેલ નવી બનેલ સાંઈ બંધન રોલીગ મીલ કંપની ખાતે જઈ રહેલ બાઈક ચાલક મૂળ મધ્ય પ્રદેશના હાલ ઘાંઘળી રહેતા મનોજકુમારસિંહ મહાવીરસિંહ ગોઠ (ઉ.વ 25) તેમજ રવીશંકરસિંહ રાજભાનસિંહ ગોઠ ( ઉ.વ 19) જેઓ ડબલ સવારી સાથે મોટરસાયકલ ઉપર પોતાની ફરજ માટે કંપની ખાતે જઈ રહ્યા હતા ત્યારે ડંભારીયા રોડ પાસે પહોંચ્યા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા આ યુવાનોનાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયાં હતાં. આ બનાવ લઈ ફેકટરી વાળા તેમજ સ્થાનિકો અકસ્માત સ્થળે દોડી ગયા હતા. અને તાત્કાલિક સિહોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી બંને યુવાનોના મૃતદેહો સિહોર નગરપાલિકા દ્વારા શબવાહિનીમાં સિહોર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવતા સાંઈબંધન ફેકટરીના ઠેકેદારો લેબર વર્ગ સિહોર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવેલ હતા. આ બનાવ અંગે સિહોર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ત્ર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech