હાટકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પર્યાવરણ જાળવણીના ઉમદા હેતુ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બલુઅદા દ્રારા વિધિવત રીતે વૃક્ષનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્ય અંતર્ગત મંદિરના પટાંગણમાં કુલ ૨૦૦ જેટલા વૃક્ષો અને ફલછોડ વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે અશોકસિંહ વાઘેલા, ગોવિંદભાઈ રાણપરીયા, નાજાભાઈ ભરવાડ, વિપુલભાઈ ગીણોયા તાલુકા વિકાસ અધિકારી વામજા, પીજીવીસીએલ એન્જિનિયર ફોરેસ્ટરો અને પોલીસના મિત્રો સહિતના અન્ય અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો