અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશન નિયમો પર ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છે. દરમિયાન, તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને તેમને પાછા મોકલી દેવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ, વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી છે કે, તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગનને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યો છે. ઇમિગ્રેશન સંબંધિત વાંધાઓને કારણે, યુએસ અધિકારીઓએ તેમને દેશ છોડવાનું કહ્યું, ત્યારબાદ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા.
પાકિસ્તાન સરકાર તેમને પાછા બોલાવી શકે છે
રાજદૂત કે.કે. એહસાન વાગન પાસે માન્ય યુએસ વિઝા અને બધા જરૂરી દસ્તાવેજો હતા અને તે લોસ એન્જલસની વ્યક્તિગત મુલાકાતે ગયા હોવાના અહેવાલ છે. પરંતુ અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને એરપોર્ટ પર રોક્યા અને ત્યારબાદ તેમને દેશનિકાલ કરવામાં આવ્યા.
જોકે, યુએસ વહીવટીતંત્રના આ પગલા બાદ હવે રાજદ્વારી પ્રોટોકોલ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં રાજદૂત વાગનને ઇસ્લામાબાદ પાછા બોલાવી શકે છે.
વિદેશ મંત્રાલયે તપાસનો આદેશ આપ્યો
આ ઘટના અંગે વિદેશ મંત્રી ઇશાક ડાર અને વિદેશ સચિવ અમીના બલોચને જાણ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે લોસ એન્જલસમાં પાકિસ્તાની કોન્સ્યુલેટને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગન લાંબા સમયથી પાકિસ્તાન વિદેશ સેવા સાથે સંકળાયેલા છે. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરી તરીકે સેવા આપી છે. આ ઉપરાંત, તેમણે લોસ એન્જલસમાં પાકિસ્તાની કોન્સ્યુલેટમાં ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ, મસ્કતમાં પાકિસ્તાનના રાજદૂત અને નાઇજરમાં પાકિસ્તાની દૂતાવાસમાં પણ સેવા આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech