જામનગર જીલ્લાના ખેડૂતોએ ફાર્મર આઈડી મેળવવા માટે તથા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા નોંધણી કરાવવી જરૂરી
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રરી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં 15 મી ઓક્ટોબરથી ખેડૂત નોંધણીની શરૂઆત કરવામાં આવેલ છે.
જે હેઠળ જામનગર જિલ્લાના તમામ ખાતેદાર ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રરી હેઠળ ફરજિયાત નોંધણી કરાવવી આવશ્યક છે. ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતો તેઓની જમીનની માલિકીની માહિતી સરળતાથી મેળવી શકશે.
ફાર્મર રજીસ્ટ્રી હેઠળ નોંધણી થયેથી તમામ ખેડૂતો માટે ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો મેળવવા સરળ બનશે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભ મેળવતા અને ઈચ્છુક લાભાર્થીઓ માટે ખેડૂત નોંધણી ફરજિયાત કરેલ છે જેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવતા ખેડૂતો માટે આ યોજનાનો આગામી હપ્તાથી લાભ ચાલુ રાખવા ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત હોવાથી બાકી રહેલ તમામ ખેડૂતોએ સત્વરે રજીસ્ટ્રરેશન કરાવવાનું રહેશે. આ માટે વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત નોંધણી દરેક સંબંધિત ગ્રામ પંચાયતોમાં (વિસી પાસે)કરાવી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech