પોરબંદરની સરકારી કચેરીઓમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા અંતર્ગત કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી હતી.
પોરબંદર મામલતદાર કચેરી ખાતે ઉજવણી
વડાપ્રધાન અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્ર્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા.૧૫ વિકાસ સપ્તાહ ઉજવણી થઈ રહી છે.પોરબંદર મામલતદાર કચેરી ખાતે વિકાસ સપ્તાહ ઉજવણીનાં ભાગપે પોરબંદર મામલતદાર કચેરીના સ્ટાફએ ગુજરાતના વિકાસમાં જોડાવા માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.
રોજગાર કચેરી ભારત વિકાસ પ્રતિજ્ઞાની થઇ ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શ કરી હતી.આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૧૫ સુધી ’વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞા દ્વારા કરવામાં આવ્યો છે.
આ ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લા રોજગાર કચેરીના અધિકારી દિનેશભાઈ પરમારના નેતૃત્વમાં કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી હતી,અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન, બંધારણીય મુલ્યોનું જતન કરવા, ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહેવા સહિતના સંકલ્પો થકી દેશના વિકાસમાં ભાગીદારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
રાણાવાવ મામલતદાર કચેરીના સ્ટાફે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી
રાણાવાવની મામલતદાર કચેરી ખાતે "વિકાસ સપ્તાહ" ઉજવણીનાં ભાગપે સ્ટાફ દ્રારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. અને અધિકારીઓ- કર્મચારીઓએ દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન, બંધારણીય મુલ્યોનું જતન કરવા, ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહેવા સહિતના સંકલ્પો થકી દેશના વિકાસમાં ભાગીદારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
તાલુકા પ્રાથમિક શિક્ષણઅધિકારીઓની કચેરીમાં ’વિકાસ સપ્તાહ’ની ઉજવણી
પોરબંદર જિલ્લાની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની કચેરીનાં અધિકારી-કર્મચારીઓએ ’વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતગર્ત ભારત વિકાસ પ્રતિજ્ઞાલેવામાં આવી હતીપોરબંદર, રાણાવાવ, કુતિયાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના અધિકારી કર્મચારીઓ ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહેવા સહિતના સંકલ્પો થકી દેશના વિકાસમાં ભાગીદારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech