રાણાકંડોરણાની પી.એમ.શ્રી કુમારશાળા અને ક્ધયાશાળામાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધો.૬ થી ૮ ના બાળકોને પ્રિ વોકેશનલ એજ્યુકેશનને શૈક્ષણિક અભ્યાસક્રમના વિષયો સાથે સમાવિષ્ટ કરી વિદ્યાર્થીઓને જીવંત અનુભવો, વ્યવસાયકારો, સ્થળ મુલાકાત તેમજ વર્ચ્યુઅલ અનુભવ પુરા પાડીને તેમના પાયામાં જીવન કૌશલ્યો સાથે સાથે ભાવિ કારકિર્દીના સંદર્ભે પોતાની અભિયોગ્યતાને અનુપ વોકેશનલ સ્કિલની દિશામાં આગળ વધવાનો એક પ્રયાસનો નિર્દેશ કરવામાં આવ્યો છે.જેને અનુપ રાણાકંડોરણાની પી.એમ.શ્રી કુમારશાળા અને ક્ધયાશાળામાં પણ અભ્યાસ કરતા બાળકોમાં સ્કિલ ડેવલપ થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી ક્ધયાશાળામાં મહેંદી કલામાં ગામના મહેંદીના તજજ્ઞ ગીતાબેન રાવલિયા દ્વારા ધો ૫ થી ૮ ની વિદ્યાર્થીનીઓને મહેંદી કલા વિશે સમજ આપવામાં આવી હતી.મહેંદી કોન કેવી રીતે બનાવવો,પહેલા કાગળમાં દોરતા શીખવું,પછી હાથમાં મહેંદી કરવી,મહેંદીના પ્રકારો,મહેંદી બાબતનો ઇતિહાસ,વગેરે બાબતોની સમજ આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો અને એક બીજાના હાથમાં મહેંદી મુકી હતી.આ તકે તજજ્ઞ ગીતાબેન રાવલિયાનો શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.પ્રવૃત્તિને સફળ બનાવવામાં શાળાના સ્ટેફગણે તથા ઇન્ટરનશીપમાં આવેલ બી.એડ.ના તાલીમાર્થી દિવ્યાબેન પુરોહિતે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech