બાબરા તાલુકા માં ચાલુ વર્ષે તલ ચણા જીરૂ મકાઈ સહિત ના પાકો ના વાવેતરો ગત વર્ષ કરતા વધુ પ્રમાણમાં થતા અને ભૂતળમાં પાણી ખુટતા લગતા અને ખેતર વાડીમાં ૧૦૦૦ ફટથી વધુ ઐંડાઈ સુધીના બોર રીંગદાર કરવા છતાં જરૂરીયાત મુજબની જળ રાશી પ્રા નહી થતા ખેડુતોના પાક પાણીની સ્થિતિ દયનીય બનવા લાગી છે. આવા સમયે રાય સરકાર દ્રારા બાબરા તાલુકાની ત્રણ જેટલી નાના કદની નદીઓમાં સૌની યોજના લીંક ૪માંથી પાણી છોડવામાં આવતા ખેડુતોના જમીની દાર કુવાના ભૂતળ ઉચા આવવાની સંભાવના વધી છે અને ખેડુતો ને પિયત માટે ફાયદો થવા સંભવ હોવાનું માનવામાં આવે છે.
જાણવા મળતી વિગત મુજબ તાલુકા ના ચરખા ગામે થી આવેલી કાળુભાર નદીમાં છોડવામાં આવેલ જળ રાશીથી ચરખા બાબરાના ખેડુતોને લાભ થશે અને આ જળ રાશી હાલ બાબરા સુધી પહોચ્યા બાદ અટકાવી દેવામાં આવશે બાબરા ખાતે કાળુભાર નદીમાં પુલ બનાવા કામગીરી ચાલુ હોવાથી ખાખરીયા જામબરવાળા જેવા ગામોને લાભ મળવો મુશ્કેલ બનશે જયારે સુખપુરથી છોડવામાં આવેલ જળ રાશીથી સુખપુર અને ખંભાળા તેમજ ચમારડી ગાગડીયા નદીમાં છોડેલા પાણીથી ચમારડી, કુંવરગઢ, વાલપુર, પીરખીજડિયા, ભિલા અને ભીલડી સુધીના ખેડુતોને લાભ મળશે.
તાલુકાની ત્રણ જેટલી નદીમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા ૨૦૦૦થી વધુ ખેડુત પરિવારોને સિધો લાભ મળશે. આ તકે ૯૬ લાઠી બાબરાના ધારાસભ્ય સહિત તાલુકા ભાજપ પદાધિકારી અને ખેડુતો ઉપસ્થિત રહી જળના વધામણા કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech