ઉનાળામાં માટલાનું ઠંડુ અને શુદ્ધ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે કુદરતી રીતે ઠંડા રાખવા ઉપરાંત શરીરને હાઇડ્રેટ પણ કરે છે. પ્રાચીન કાળથી લોકો રેફ્રિજરેટરને બદલે માટીના વાસણોના પાણીનો ઉપયોગ કરતા આવ્યા છે કારણ કે આ પાણી ગળા માટે યોગ્ય છે અને ખૂબ ઠંડુ નથી પરંતુ એવું પણ થાય છે ને કે ક્યારેક માટીના વાસણ(માટલા)માં પાણી ઠંડુ થતું નથી.
ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન છે અને સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે. હકીકતમાં, કેટલીક નાની ભૂલોને કારણે માટલુ તેના ઠંડકના ગુણધર્મો ગુમાવે છે. જો ઇચ્છો છો કે માટલામાં હંમેશા ઠંડુ પાણી થાય, તો આ 5 ભૂલો ટાળવી ખૂબ જ જરૂરી છે.
1. માટલાને સાફ ન કરવું
જો માટલાને નિયમિતપણે સાફ ન કરો તો તેમાં માટીના નાના કણો જમા થઈ જાય છે, જે તેના છિદ્રોને બંધ કરી દે છે. માટલામાં ધીમે ધીમે બહારની ગરમીમાંથી પાણીનું બાષ્પીભવન થઈને પાણી ઠંડુ થાય છે પરંતુ જ્યારે આ છિદ્રો બંધ થઈ જાય છે ત્યારે પાણી ઠંડુ થઈ શકતું નથી. તેથી, દર 3-4 દિવસે માટલાને સાફ કરો. તેને સાફ કરવા માટે ગરમ પાણી અને લીંબુનો રસ અથવા ખાવાનો સોડાનો ઉપયોગ કરો. પછી માટલાને તડકામાં સૂકવી દો અને પછી તેને ફરીથી પાણીથી ભરો.
2. ખોટી જગ્યાએ મૂકવું
જો માટલાને તડકો આવે ત્યાં અથવા ગરમ જગ્યાએ રાખવામાં આવે તો તેનું તાપમાન વધે છે અને પાણી ઠંડુ થઇ શકતું નથી. તેથી, માટલાને છાંયાવાળી અને હવાદાર જગ્યાએ રાખો. તેને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન આવે અને જ્યાં પુષ્કળ હવા હોય.
૩. નવા માટલાનો સીધો ઉપયોગ કરવો
જો નવા માટલાનો સીધો ઉપયોગ કરવામાં આવે તો તેમાં ઝડપથી પાણી ઠંડુ થઇ શકતું નથી. નવા માટલામાં માટીની વધુ અસર હોય છે, જે પાણીને ઠંડુ કરવાની પ્રક્રિયા ધીમી કરે છે. તેથી, નવું માટલુ ખરીદ્યા પછી તેને 1-2 દિવસ માટે પાણીથી ભરેલું રહેવા દો અને પછી તે પાણી ફેંકી દો. એ પછી જ પીવા માટે પાણી ભરો.
4. માટલાને ઢાંકીને રાખવું ન જોઈએ
ઘણા લોકો માટલાને પ્લાસ્ટિક અથવા સ્ટીલની પ્લેટથી સંપૂર્ણપણે ઢાંકી દે છે, જેનાથી તેની ઠંડક ક્ષમતા ઓછી થઈ જાય છે. ઠંડુ પાણી પૂરું પાડવા માટે માટલુ હવાના સંપર્કમાં રહેવું જોઈએ. તેથી, માટલાને કાપડથી ઢાંકી દો, જેથી હવાનો સંપર્ક જળવાઈ રહે.
5. પ્લાસ્ટિકની બોટલમાંથી માટલામાં પાણી ભરવું
જો ફ્રિજ અથવા પ્લાસ્ટિકની બોટલમાંથી માટલામાં પાણી ભરો છો, તો તે તેની કુદરતી ઠંડક પ્રક્રિયા ધીમી કરે છે. પ્લાસ્ટિકનું પાણી રસાયણો છોડી શકે છે, જેના કારણે માટલાની માટી તેના કુદરતી ગુણધર્મો ગુમાવે છે. તેથી, વાસણમાં હંમેશા તાજા નળના પાણીનો ઉપયોગ કરો. જો પાણી ફિલ્ટર કરેલું હોય તો તેને વાસણમાં રેડતા પહેલા થોડીવાર માટે ખુલ્લી હવામાં રાખો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech