BREAKING NEWS

સૈન્યના શક્રાગારમાંથી હથિયારો ગુમ: એસોલ્ટ રાઇફલો અને દારૂગોળાની ચોરીનું રહસ્ય ઘેરાયું

  • September 08, 2026 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિકંદરાબાદ કેન્ટોનમેન્ટમાં હથિયારોની ચોરીની તપાસ વધુ ઘેરી બની રહી છે. સેના અને તેલંગાણા પોલીસે ૨૦ મદ્રાસ રેજિમેન્ટના એક યુનિટના એક વરિ અધિકારીની પૂછપરછ કરી છે. એવું જાણવા મળ્યું છે કે પૂછપરછનું મુખ્ય કારણ એ છે કે શક્રાગારના હથિયારોના રેકોર્ડ ઘણા મહિનાઓથી યોગ્ય રીતે જાળવવામાં આવ્યા નથી.
તેલંગાણાના સિકંદરાબાદ કેન્ટોનમેન્ટમાંથી ૧૨ હથિયારોની ચોરીની તપાસ પણ વિસ્તરી રહી છે. ચોરાયેલા શક્રોમાં ચાર એકે–૨૦૩ એસોલ્ટ રાઇફલ, સાત પિસ્તોલ અને એક ઇન્સાસ રાઇફલનો સમાવેશ થાય છે. ૧,૦૦૦થી વધુ રાઉન્ડ દાગોળો અને નિષ્ક્રિય નાઇટ–વિઝન દૂરબીનની એક જોડી પણ ગુમ થઈ ગઈ છે.
અહેવાલ મુજબ, ભારતીય સેનાના વરિ અધિકારીઓ ૨૦ મદ્રાસ રેજિમેન્ટના એક યુનિટના એક વરિ અધિકારીની પૂછપરછ કરી રહ્યા છે. તેલંગાણા પોલીસ અધિકારીઓએ પણ તેમની પૂછપરછ કરી છે. અધિકારીની પૂછપરછનું કારણ શક્રાગારના રેકોર્ડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે શક્રાગારના પુસ્તકો અથવા રજિસ્ટર ઘણા મહિનાઓથી યોગ્ય રીતે જાળવવામાં આવ્યા ન હતા.
૩૧ ઓગસ્ટના રોજ સવારે ૭:૫૦ વાગ્યાની આસપાસ હથિયારોની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. એક વરિ સૈન્ય અધિકારીએ મલ્કજગિરી કમિશનરેટના બોલારામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, યારે દાગોળો સંગ્રહ ખડં ખોલવામાં આવ્યો ત્યારે તે ખુલ્લો અને તેના તાળા તૂટેલા મળી આવ્યા હતા. યારે હથિયારો અને દાગોળો સંબંધિત રેકોર્ડની તપાસ કરવામાં આવી ત્યારે, નોંધાયેલી કેટલીક વસ્તુઓ માટે સંબંધિત દસ્તાવેજો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application