સિગારેટ છોડ્યા પછી જો વજન અચાનક વધી રહ્યું હોય તો તકેદારી રાખવી જરૂરી છે. એક સંશોધનમાં ધૂમ્રપાન અને સ્થૂળતા વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. આ અભ્યાસ અનુસાર, સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં ધૂમ્રપાન કરનારાઓ ઓછું ખાય છે. તેમનો ખોરાક ઓછો પૌષ્ટિક હોય છે. જેના કારણે સિગારેટ છોડ્યા બાદ તેમનું વજન ઝડપથી વધે છે.
લોફબોરો યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ લેસ્ટરના સંશોધકોએ આ અભ્યાસમાં યુનાઇટેડ કિંગડમના 80 હજારથી વધુ પુખ્ત વયના લોકોને સામેલ કર્યા હતા. આ અભ્યાસ યુરોપિયન કોંગ્રેસ ઓન ઓબેસિટી (ECO) ખાતે રજૂ કરવામાં આવ્યો હતો.
સિગારેટ છોડ્યા પછી વજન કેમ વધે છે?
ધૂમ્રપાન કરનારાઓનું વજન અને બોડી માસ ઇન્ડેક્સ (BMI) ધૂમ્રપાન ન કરનારાઓ કરતા ઓછું હોય છે. ધૂમ્રપાનની ટેવ છોડ્યા પછી વજન વધે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ધૂમ્રપાન કરનારાઓ ભૂખ અને વજનને નિયંત્રિત કરવા માટે સિગારેટનો ઉપયોગ કરે છે. તમાકુમાં નિકોટિન જોવા મળે છે, જે ભૂખને દબાવી શકે છે. સંશોધકોએ 2004 થી 2022 સુધીમાં 18 વર્ષ કે તેથી વધુ વયના 83 હજાર પુખ્ત વયના લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું. પરિણામોમાં જાણવા મળ્યું કે ધૂમ્રપાન કરનારાઓએ ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં બમણું ભોજન અધૂરું મુક્યું હતું. લાંબા સમય સુધી ભોજન વગર રહેવાને કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ધૂમ્રપાન છોડવાની અસર શું છે?
આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ધૂમ્રપાન કરનારાઓ ધૂમ્રપાન છોડનારાઓ કરતાં બમણું ભોજન છોડતા હતા. ત્રણ કલાકથી વધુ સમય સુધી ખાધા વિના રહેવાનું પ્રમાણ 50 ટકાથી વધુ હતું. 35 ટકાથી ઓછા લોકો નાસ્તો કરતા હતા. સૌથી મહત્વની વાત એ છે કે તેઓ ભોજન વચ્ચે મીઠાઈ ઓછી ખાતા હતા અને તળેલો ખોરાક વધુ પ્રમાણમાં લેતા હતા. આ સિવાય તેને ખાવામાં મીઠું અને ખાંડ મિક્સ કરવાની આદત હતી.
વજન વધવાનું કારણ શું છે?
યુકેની લોફબોરો યુનિવર્સિટીના મુખ્ય સંશોધક ડૉ. સ્કોટ વિલિસે જણાવ્યું હતું કે અભ્યાસ દર્શાવે છે કે ધૂમ્રપાન ઓછું ખોરાક લેવા અને નબળી ગુણવત્તાયુક્ત આહાર સાથે સંકળાયેલું છે. જેમાં અવારનવાર તળેલા ખોરાક અને વધુ પડતું મીઠું અને ખાવામાં મીઠું ઉમેરવાની આદત હતી. જેથી સમજવામાં મદદ થઇ કે ધૂમ્રપાન કર્યા પછી વજન ઝડપથી વધે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PM૫ોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે યોજાયું સફાઈ અભિયાન
May 02, 2025 02:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech