જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી લુહાર મહિલાનું આંચકી આવી જતા સારવારમાં લઇ જતા મૃત્યુ નિપજયુ છે.
જામનગરના કૃષ્ણનગર આઝાદ ચોકમાં રહેતા રસિલાબેન જગદીશભાઇ કવા (ઉ.વ.૫૪) નામની મહિલાને છેલ્લા ચારેક મહિનાથી હૃદયની બિમરી સબબ દવા ચાલુ હોય અને આંચકી આવી જતા જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે મયુર જગદીશભાઇ કવાએ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જાણ કરી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.