નૈઋત્યના ચોમાસાએ એન્ટ્રી લીધા પછી ધમાકેદાર વરસાદ સતત ચાલુ જ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 227 તાલુકામાં સામાન્યથી સાડા સાત ઇંચ સુધીનો વરસાદ થયો છે. આજે સવારથી ફરી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટમાં 97 ટકા ભેજ નોંધાયો
આજે સવારે રાજકોટમાં 97 પોરબંદરમાં અને વેરાવળમાં 92 દ્વારકા અમરેલીમાં 90 ગાંધીનગરમાં 95 અને કંડલામાં 98% ભેજ નોંધાયો છે. ગરમી સાવ ગાયબ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડીગ્રી નીચે આવી ગયો છે. સૌથી નીચું મેકસીમમ ટેમ્પરેચર અમદાવાદમાં ગઈકાલે 27.6 ડિગ્રી અને સૌથી વધુ ભુજમાં 34 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 28.8 ડીગ્રી એ પહોંચી ગયો છે.
તારીખ 23 સુધી વરસાદનું જોર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં રહેશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી તારીખ 23 સુધી વરસાદનું જોર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં રહેશે. અરબી સમુદ્રમાં બાકી રહેલા ભાગોમાં પણ નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર આજે સવારે 5:30 વાગે વેલમાર્ક લો પ્રેસરમાં પરિવર્તિત થઈને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. આવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાનને સંલગ્ન વિસ્તારમાં લો પ્રેસર સર્જાયું છે અને તેમાંથી અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે. આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં હજુ ભારે વરસાદની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech