કિડનીને સ્વસ્થ રાખવા માટે પુષ્કળ પાણી પીવું જરૂરી છે. પાણીની મદદથી કિડનીની કામગીરીમાં સુધારો થાય છે અને શરીરમાં એકઠા થયેલા ઝેર દૂર થાય છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ? શરીરને સ્વસ્થ રાખવા માટે દરેક અંગનું યોગ્ય રીતે કામ કરવું ખૂબ જ જરૂરી છે.
આપણા અંગોને યોગ્ય રીતે કાર્ય કરવા માટે ખોરાક અને પાણીની પણ જરૂર હોય છે. ખાસ કરીને કિડનીની કામગીરીમાં સુધારો કરવા માટે યોગ્ય માત્રામાં પાણીની જરૂર છે. કિડનીના રોગોથી દૂર રહેવા માટે પાણી મહત્વનું છે કારણકે તે કિડનીને ડિહાઇડ્રેશનથી બચાવે છે અને કિડનીના ઘણા રોગોનું જોખમ ઘટાડે છે. તેથી દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.
ઓછું પાણી પીવાથી થાય છે કિડનીની સમસ્યા
કિડનીને યોગ્ય રીતે કામ કરવા માટે પાણીની જરૂર પડે છે. જો શરીરમાં પાણીની ઉણપ હોય તો ડિહાઇડ્રેશનના કિસ્સામાં સૌથી પહેલા કિડની પર અસર થાય છે. આના કારણે શરીરમાં ખરાબ કચરો જમા થવા લાગે છે જે કિડનીને નુકસાન પહોંચાડે છે. ઓછું પાણી પીવાથી કિડનીમાં પથરીનું જોખમ વધી જાય છે. આ સિવાય યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (યુટીઆઈ) અને કિડની ફેઈલ પણ થઈ શકે છે.
તંદુરસ્ત વ્યક્તિએ 3-4 લિટર પાણી પીવું જોઈએ?
કિડનીને સ્વસ્થ રાખવા માટે કેટલું પાણી પીવું જોઈએ? સ્વાસ્થ્ય સંશોધન મુજબ, એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં 3-4 લિટર પાણી પીવું જોઈએ. જો કે આ નિયમ તમારા લિંગ, કામ, ઋતુ અને શરીર પર પણ આધાર રાખે છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે, વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ.
કિડનીની બીમારી ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ મુજબ પાણી પીવું જોઈએ
આ કિડનીને પેશાબને પાતળું કરવામાં અને શરીરમાં એકઠા થયેલા કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે. જો આ સમસ્યા હોય તો ઓછું પાણી પીવું જોઈએ. જો કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય, તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ પાણી પીવાની માત્રા નક્કી કરો. જે લોકો કિડની ફેઈલની સમસ્યાથી પીડાતા હોય અથવા જેમને કિડની ડાયાલિસિસની જરૂર હોય તેમણે ઓછું પાણી પીવું જોઈએ. વધારે પાણી પીવાથી કિડની પર દબાણ આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech