ફિટનેસ ટેસ્ટ બાદ એનસીએ મેચ રમવાની ન આપી પરમીશન : થોડા દિવસો બાદ ફરીથી થશે ટેસ્ટ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 22 માર્ચથી શરૂ થવાની છે. પરંતુ તે પહેલા જ હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડ્યો છે. ઈજાથી પીડિત સૂર્યકુમારનું હવે આઈપીએલની કેટલીક મેચોમાંથી બહાર થશે તે તો નક્કી છે જ પણ તેના પર આઈપીએલની આખી સિઝનમાંથી બહાર થવાનો ખતરો તોળાઇ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યકુમાર યાદવનો ગતરોજ ફિટનેસ ટેસ્ટ હતો. સમાચાર આવી રહ્યા છે કે તેને નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી મંજૂરી મળી નથી. આવી સ્થિતિમાં સૂર્ય આઈપીએલ 2024ની અડધી મેચમાંથી બહાર થઈ શકે છે. અહેવાલો અનુસાર, સૂર્યકુમાર યાદવનો આગામી ફિટનેસ ટેસ્ટ થોડા દિવસો પછી યોજાનાર છે. ત્યાર બાદ નક્કી થશે કે સૂર્યા આગામી મેચ રમી શકશે કે નહીં. આ બધાની વચ્ચે સૂર્યકુમારે પણ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે.
સૂર્યાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તૂટેલા હૃદયની ઈમોજી શેર કરી છે. આ સાથે તેણે કદાચ એ જ સંદેશ આપ્યો છે કે તે ફિટનેસ ટેસ્ટમાં ફેલ થવાને કારણે નિરાશ છે અને તે આઈપીએલની કેટલીક મેચોમાંથી બહાર રહી શકે છે. હવે જો તે આગામી ટેસ્ટ પાસ નહીં કરે તો તે આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે.
સૂર્યાએ હાલમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ભારતીય ટી 20 ટીમની કપ્તાની સંભાળી હતી. આ દરમિયાન તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ કારણે તે અફઘાનિસ્તાન સામેની સિરીઝ પણ રમી શક્યો નહોતો. સૂર્યકુમારની હર્નિયાની સર્જરી જર્મનીમાં કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે તેને મેદાનમાં પરત ફરવા માટે એનસીએ તરફથી ગ્રીન સિગ્નલ લેવું પડશે. 2012માં ડેબ્યૂ કરનાર સૂર્યા અત્યાર સુધી આઈપીએલની 11 સિઝન રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે કુલ 139 મેચ રમી છે. આઈપીએલ 2024માં મુંબઈની ટીમ પોતાની પહેલી મેચ 24 માર્ચે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં રમવાની છે. આ મેચ ગુજરાત ટાઇટન્સ સામે થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech