દ્વારકા: મારામારીના ગુનાહમાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી દ્વારકા એલસીબી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાંચ ટીમે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મારામારીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે.
એલ.સી.બી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એન. એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. બી. એમ. દેવમુરારી, પો.સ.ઈ. એમ. આર. સવસેટા અને એલ.સી.બી. ટીમ દ્વારકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. કુલદીપસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. પીઠાભાઈ ગોજીયા અને પો.કોન્સ. જયપાલસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના રબારી ગેટ ખાતેથી આરોપી દેવીસંગભા રામભા માણેક (ઉં.વ. ૨૪, રહે. મકનપુર ગામ વાડી વિસ્તાર, તા. દ્વારકા, ધંધો: શિવરાજપુર બીચ પર વેપાર)ને ઝડપી લેવામાં આવ્યો છે.
આરોપી સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની વિવિધ કલમો તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધાયેલો હતો. એલ.સી.બી. ટીમે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં પીઆઈ એન.એચ.જોષી, પીએસઆઈ બી.એમ.દેવમુરારી, એમ.આર.સવસેટા, એસ.વી.કાંબલીયા તેમજ એએસઆઈ જગદીશભાઈ કરમુર, કુલદીપસિંહ જાડેજા, મુકેશભાઈ વાઘેલા, પીઠાભાઈ ગોજીયા અને જયપાલસિંહ જાડેજા રોકાયેલા હતા.