જામનગરમાં માધવબાગ નજીક કોપર સીટી વિસ્તારમાં રહેતા યોગેશ બળવંતરાય ભોગાયતા (ઉ.વ.૩૪) નામના વિપ્ર યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં દોરડુ બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવને લઈને પરિવારમાં ગમગીની છવાઈ હતી.
આ બનાવ અંગે મૃતકની પત્ની નેહલબેન યોગેશભાઈ ભોગાયતાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળીને આ મામલે તપાસ આદરી છે.