વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરાયું
કેમ્પમાં આયુર્વેદિક પદ્ધતિ મુજબ દર્દીઓની તપાસ કરી સારવાર અપાઈ
જામનગર તા.14 ઓક્ટોબર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર, તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી જામનગરના વડપણ હેઠળ કાલાવડ તાલુકાના નાનાવડાળા સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા મેડિકલ ઓફિસર વૈદ્યા દર્શનાબા જાડેજા દ્વારા ખડધોરાજી તા.કાલાવડ ખાતે સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દર્દીઓની તપાસ તેમજ નિદાન કરી આયુર્વેદિક પદ્ધતિ મુજબ સારવાર આપવામા આવી હતી.આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને પોષણ તેમજ યોગ્ય દિનચર્યા તથા ઋતૂચર્યા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી સાથે સાથે કુપોષણ નિવારણ અંગેના પરેજીપત્રકની પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.આ ઉપરાંત કેમ્પમાં ઉકાળા તેમજ સંશમની વટીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMYouTubeએ ભારતીયોને બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં આપ્યા ₹21 હજાર કરોડ
May 02, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech