'સરકાર કી આમદ મરહબા' ઇદ-એ-મિલાદુન્નબીની તૈયારીના ભાગરૂપે જામનગર શહેર મુસ્લિમ વિસ્તારોમાં રોશનીનો ઝગમગાટ
મસ્જીદોમાં, ઘરો પર રંગ-બેરંગી લાઇટો શણગાર અને નબીના નામ ના ઝંડા લાગ્યા
આગામી તા.૨૬ ઓગસ્ટ,૨૦૨૬ બુધવાર ના રોજ ઈદે-એ-મિલાદુન્નબી પયંગમ્બર મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો પવિત્ર દિવસ આવી રહ્યો હોવાથી મુસ્લિમ સમાજ ઉજવણી કરવા થનગની રહ્યો છે. આથી ચાલુ વર્ષ આશિકોમાં ગજબનો થનગનાટ જોવા મળે છે.
હાલ, જામનગર શહેરમાં આવેલ ઘાંચીની ખડકી વિસ્તારમાં શહીદી ચોક ખાતે "જશને આમદે રસુલ" નામથી તકરીર નો શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૈયદ ઝૈનુલઆબેદીન સાહબ કિબ્લા તથા હાફિઝ સોહિલ ઝ્રા સાહબ દ્વારા રાત્રીના ૧૦ થી ૧૨ વાગ્યા સુધી તકરીર રાખવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં ભાઇયો તથા બહેનો પણ તકરીર સાંભળવા માટે આવે છે તેમજ કાલાવડ નાકા બહાર આવેલ રબ્બાની પાર્ક, સિલ્વર પાર્ક, તારમામદ સોસાયટી, પાંચહાટડી વિસ્તાર, મકવાણા સોસાયટી વિસ્તાર, નૂરી પાર્ક વિસ્તાર, મહારાજા સોસાયટી, ગરીબ નવાઝ સોસાયટી, વાઘેરવાડો વિસ્તાર, સુમરાચાલી વિસ્તાર, બેડી વિસ્તાર, ધરાનગર વિસ્તાર, ખોજા ગેટ વિસ્તાર, નવાગામ ઘેડ વિસ્તાર તેમજ જામનગર શહેર મુસ્લિમ ની આન-બાન-શાન જુમ્મા મસ્જિદ, રતનબાઇ મસ્જીદ અને માંડવી ટાવર મસ્જીદ સહિત મુસ્લિમ વિસ્તારમાં આવેલ તમામ વિવિધ મસ્જિદો, મહોલ્લા તથા ઘર વગેરેમાં રોશની કરવામાં આવી રહી છે.
પરંપરા મુજબ જામનગર શહેરમાં ઇદ-એ-મિલાદુન્નબી નિમિત્તે તા.૨૬ ઓગસ્ટ,૨૦૨૬ બુધવાર ના રોજ ભવ્ય જુલુસ કાઢવામાં આવશે. જેમાં સફેદ પોષાકમાં સજજ થઇને હાથમાં પરચમ એટલે કે ઝંડા લેહરાવવામાં આવશે અને આ દિવસે "સરકાર કી આમદ મરહબા" તથા "મરહબા યા મુસ્તુફા"ના ગુંજી ઉઠશે.