જામનગર જિલ્લાના જામનગર, હાપા તથા કાનાલુસ રેલવે સ્ટેશનનો રૂ.55 કરોડથી વધુના ખર્ચે થશે પુનઃવિકાસ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પુનઃવિકસિત થનાર દેશના 554 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કર્યો
પહેલાના સમયના જર્જરિત રેલવે સ્ટેશનો આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આધુનિક અને સુવિધાસભર બની રહ્યા છે-સાંસદ શ્રી પૂનમબેન માડમ
જામનગર તા.26 ફેબ્રુઆરી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 554 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ તથા 1500 જેટલા રેલવે ફ્લાયઓવર તેમજ અંડરપાસના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરી 41 હજાર કરોડની રેલવે પરિયોજનાઓની દેશવાસીઓને ભેટ આપી હતી.આ ઉપક્રમ અંતર્ગત રૂ.55.23 કરોડના ખર્ચે જામનગર જિલ્લાના જામનગર, હાપા તથા કાનાલુસ રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ તથા જીવાપર, બાલાચડી, હાપા તેમજ નંદપુર-તમાચણ ફ્લાયઓવરના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનશ્રીએ કર્યા હતા.
પ્રાસંગિક ઉદબોધન કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે આજનું ભારત મોટા સપના જુએ છે અને તેને પૂર્ણ કરવા માટે દિવસ રાત એક કરે છે. શિક્ષણ, મેડિકલ સંસ્થાન, રેલવે સહિતના ક્ષેત્રે સરકાર આધુનિકરણ કરી રહી છે. આજે ૪૦ હજાર કરોડથી વધુના રેલવેના વિકાસ કામો એક સાથે પરિપૂર્ણ થયા તે તેનું ઉદાહરણ છે. વિકસિત ભારતના મુખ્ય સૂત્રધાર દેશના યુવાઓ છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે યુવાઓને આ વિકાસ કામો થકી નવા રોજગારની વિપુલ તકો પ્રાપ્ત થશે. વિકસિત ભારત યુવાઓના સપનાનું ભારત છે અને યુવાઓના સપના, મહેનત અને મોદીનો સંકલ્પ એ વિકસિત ભારતની ગેરંટી છે.આજે શિલાન્યાસ થયેલ પુનઃવિકસિત થનાર રેલવે સ્ટેશન તેની સ્થાનિક સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી નવો આકાર પામનાર છે જે પોતાના શહેરની વિશેષતાઓનો દુનિયાને પરિચય કરાવશે.ગરીબ અને મધ્યમ વર્ગ માટેની રેલવે સુવિધા આજે એરપોર્ટ જેવી આધુનિક બની રહી છે.આગામી સમયમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવા સરકાર પૂરજોશમાં પ્રયત્નશીલ છે.
સાંસદ શ્રી પુનમબેન માડમે આ પ્રસંગે જણાવ્યું કે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની અનેક ભેટ હાલારને અર્પણ કરી છે.ત્યારે આજે ફરી ડિવિઝન હેઠળના આઠ રેલ્વે સ્ટેશનના નવીનીકરણનો શિલાન્યાસ કરી નાગરિકો માટે રેલ સુવિધાઓનો ઉમેરો કર્યો છે.પહેલાના સમયના જર્જરિત રેલવે સ્ટેશનો આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આધુનિક અને સુવિધાસભર બની રહ્યા છે.કાનાલુસથી ઓખા સુધીના ડબલિંગ તથા વંદે ભારત ટ્રેનને દ્વારકા-ઓખા સુધી લંબાવવાનું કામ પણ આયોજનમાં છે.તેમજ જિલ્લાના જે વિસ્તારોમાં રેલ નથી પહોંચી રહી તેવા વિસ્તારોને રેલ્વેથી જોડવા પણ પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.આ તકે સાંસદશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સાંસદ તરીકે કરેલી વિસ્તારના વિકાસની રજૂઆતો અંગે વડાપ્રધાનશ્રીએ હંમેશા હકારાત્મક અભિગમ દાખવ્યો છે અને ત્વરિત નિર્ણયો લઈ જામનગર સંસદીય ક્ષેત્રના અનેક વિકાસ કામો તથા લાભો મંજુર કરી સમગ્ર વિસ્તારને વિકાસની એક નવી દિશા આપી છે.
કાર્યક્રમ અંતર્ગત વિકસિત ભારતની થીમ પર વિવિધ 75 શાળાઓના 7,950 જેટલા વિદ્યાર્થીઓ નિબંધ તથા ચિત્ર સ્પર્ધામાં સહભાગી થયાં હતાં જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયાં હતા.
અમૃત સ્ટેશનોની મુખ્ય વિશેષતાઓ
દરેક સ્ટેશનનો શહેરના સિટી સેન્ટરના સ્વરૂપમાં વિકાસ થશે
રૂફ પ્લાઝા, શોપિંગ ઝોન, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી સુવિધાઓ
પ્રવાસીઓની સુવિધા માટે અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર તથા મલ્ટી લેવલ પાર્કિંગ
લિફ્ટ, એસકેલેટર, એક્ઝિક્યુટિવ લોન્જ, વેઇટિંગ એરિયા તથા દિવ્યાંગો માટે અનુકૂળ સુવિધાઓ
આમ, કનેક્ટિવિટી મલ્ટી મોડલ એકીકરણથી પુનઃવિકસિત આ રેલવે સ્ટેશન દેશના સામાજિક તથા આર્થિક પ્રગતિના કેન્દ્ર બનશે.
આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા શ્રી આશિષભાઈ જોશી, દંડક શ્રી કેતનભાઈ નાખવા, રેલવેના એ.ડી.આર.એમ. શ્રી કે.કે.ચૌબે, સિનિયર ડી.સી.એમ. શ્રી સુનિલકુમાર મીણા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, પૂર્વ મેયર સર્વ શ્રી દિનેશભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કનકસિંહ જાડેજા, હસમુખભાઈ જેઠવા, પ્રતિભાબેન કનખરા, ભૂમિબેન પરીખ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, મહામંત્રી સર્વ શ્રી વિજયસિંહ જેઠવા, દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, પ્રકાશભાઈ બાંભણીયા, અભિષેકભાઈ પટવા, શ્રી ભરતભાઈ બોરસદીયા, મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMમહાપાલિકાને ૧૦% વળતર યોજના દરમ્યાન વેરા પેટે થઈ ા. ૧૦૦.૩૭ કરોડની આવક
May 02, 2025 02:43 PMભાવનગરને વધુ રેલ સુવિધાની ઉપલબ્ધધિ આડે સમસ્યા અંગે ડીઆરયુસીસી કમિટીનું હકારાત્મક વલણ
May 02, 2025 02:40 PMશેરબજારમાં તેજી: સેન્સેક્સ ૮૧૦૦૦ સપાટી કુદાવી ૯૩૫ પોઈન્ટ ઉછળ્યો
May 02, 2025 02:40 PMગણેશ ચતુર્થીએ મંદિરોમાં ભાવિકોએ કરી આરાધના
May 02, 2025 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech