જાનથી મારી નાખવાના ઇરાદે ધમકી આપી, મદદગારી કરી હથિયાર વડે સાદિ વ્યથા પહોંચાડવા ના કેસમાં બંને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકાતી જામનગર અદાલત
આ કેસની ટૂંકી હકીકત એવી છે કે, આ કામના ફરિયાદીએ આરોપી સાથે અગાઉ માથાકૂટ થયેલ હોય અને ફરિયાદી વિરૂદ્ધ ગુનો દાખલ થયેલ હોય તેનો આરોપીઓએ જૂની અદાવત ખાર રાખી આરોપીઓ એ ફરિયાદી ને ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી વડે માથામાં તથા શરીરે માર મારી ગુનો કરેલ હતો. જે ફરિયાદ મુજબ કેસ ચાર્જશીટ થયા બાદ નામદાર કોર્ટ માં ચાલવા પર આવતા કેસમાં તમામ સાહેદો ની જુબાની થયેલ તેમાં આરોપીના વકીલ દ્વારા સાહેદો ની વિસ્તૃત ઉલટ તપાસ કરવામાં આવેલ હતી તેમજ પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરી ને ધારદાર વિસ્તૃત દલીલ કરવામાં આવેલ હતી આ તમામ હકીકતો તેમજ આરોપીના વકીલશ્રી દ્વારા કરવામાં આવેલ વિસ્તૃત ઉલટ તપાસ, ધારદાર દલીલો તેમજ વિવિધ નામદાર હાઇકોર્ટ ના ચુકાદાઓ ને ધ્યાને લઈ નામદાર કોર્ટે બંને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ન્યાયિક હુકમ કરવામાં આવેલ છે.
આ કામમાં બચાવ પક્ષે આરોપીના વકીલ તરીકે જામનગરના યુવા એડવોકેટ સકીલ ઓ.નોયડા, દિપકકુમાર કે. ગચ્છર, કે.એસ. દુધરેજીયા, જે.જે. ભંડેરી રોકાયેલ હતા.