ઉત્તર પ્રદેશનું વાહનવ્યવહાર વિભાગ અયોધ્યા જનારા અને અયોધ્યામાં વાહનો ચલાવતા ડ્રાઈવરોને ખાસ તાલીમ આપશે. પરિવહન વિભાગે તેની બેઠકમાં નિર્ણય લીધો છે કે તમામ ટેક્સી અને ટૂરિસ્ટ બસ વાહન માલિકોને આ માટે ખાસ તાલીમ આપવામાં આવશે. અયોધ્યા જતી ટેક્સી અને ટૂરિસ્ટ બસોના ડ્રાઈવરોને સંવેદનશીલ બનાવવા માટે આ પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવશે.
ઉત્તરપ્રદેશનું વાહનવ્યવહાર વિભાગ જે તાલીમ આપવાનું છે. તેમાં ડ્રાઇવરોને સલામત રીતે વાહન ચલાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, ડ્રાઇવરોનું પ્રવાસીઓ પ્રત્યેનું વર્તન, ડ્રાઇવરો દ્વારા ફરજિયાત યુનિફોર્મ પહેરવો, કોઈપણ પ્રકારના નશા, પાન અને ગુટખાના સેવનથી દૂર રહેવું, વાહનની સ્વચ્છતા સુનિશ્ચિત કરવી સહિતના વિષયો સામેલ હશે. નિયત ભાડા કરતાં વધુ ભાડું કોઈપણ સંજોગોમાં વસૂલવામાં આવશે નહીં.
અયોધ્યાની પરિધિમાં 200 કિમીમાં પરિવહન વિભાગે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની મદદ માટે તમામ માર્ગો પર ઇન્ટરસેપ્ટર વાહનો દ્વારા અમલીકરણ ટીમો તૈનાત કરવાની પણ યોજના બનાવી છે. આ ઇન્ટરસેપ્ટર વાહનોનો ઉપયોગ ઓવરલોડિંગ, નશામાં ડ્રાઇવિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, નિર્ધારિત ભાડા કરતાં વધુ ભાગા વસૂલવા, ડ્રાઇવરોનો ડ્રેસ કોડ અને જરૂરિયાત મુજબ અન્ય સલામતીનાં પગલાં અપનાવવા સહિત માર્ગ અકસ્માતોને લગતી સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવશે.
આ સાથે પરિવહન વિભાગ લખનૌથી અયોધ્યા, ગોરખપુરથી અયોધ્યા અને સુલતાનપુરથી અયોધ્યા વચ્ચેના તમામ ટોલ પ્લાઝા પર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની મદદ માટે હેલ્પ ડેસ્ક સ્થાપિત કરશે. લોકોની સલામત મુસાફરી માટે હોર્ડિંગ્સ, અખબારો, પબ્લિસિટી વાન, ડિજિટલ બેનરો અને વિવિધ સોશિયલ મીડિયા દ્વારા પણ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોનો પ્રચાર કરવામાં આવશે. એટલું જ નહીં માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને એનએચએઆઇ અને પીડબલ્યુડી દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાજ્ય ધોરીમાર્ગો પર એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ અને ક્રેન વાહનોની તૈનાત રાખવા અંગે પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMYouTubeએ ભારતીયોને બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં આપ્યા ₹21 હજાર કરોડ
May 02, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech