મ્યાનમાર અને થાઈલેન્ડ બાદ આજે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રએ જણાવ્યું હતું કે, આજે પાપુઆ ન્યુ ગિનીમાં ન્યુ બ્રિટન ક્ષેત્રના દરિયાકાંઠે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈપણ પ્રકારના નુકસાનની માહિતી નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.
ઇએમએસસીએ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ 49 કિલોમીટર હતી અને યુએસ સુનામી ચેતવણી કેન્દ્રે સુનામીની ચેતવણી જારી કરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે પશ્ચિમ નેપાળમાં ત્રણ મિનિટના અંતરે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જાજરકોટ જિલ્લામાં રાત્રે ૮:૦૭ વાગ્યે ૫.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ તુરંત જ રાત્રે ૮:૧૦ વાગ્યે ૫.૫ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. બંને ભૂકંપનું કેન્દ્રબિંદુ પાનિક વિસ્તાર જાજરકોટ હતો, જે કાઠમંડુથી લગભગ 525 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. નેપાળની સાથે ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તાજેતરમાં જ મ્યાનમાર અને થાઈલેન્ડમાં મોટા ભૂકંપના આંચકા આવ્યા હતા, જેના કારણે જાનમાલનું ભારે નુકસાન થયું હતું. મ્યાનમારની લશ્કરી સરકારે માહિતી આપી હતી કે દેશમાં આવેલા પ્રચંડ ભૂકંપમાં અત્યારસુધીમાં 3,085 લોકો માર્યા ગયા છે. આ દુર્ઘટનામાં 4,715 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 341 લોકો હજુ પણ ગુમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech