ઓખા: માછીમારીની જાળમાંથી માછલી કાઢતા શખ્સોને ટપારતા યુવાન પર છરી વડે હુમલો
ઓખામાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા શબીર અભુભાઈ ભીખલાણી નામના ૩૨ વર્ષના સંધી મુસ્લિમ યુવાનની માછીમારીની જાળમાં રહેલી માછલીઓ કાઢી રહેલા અબ્દુલ નુરમામદ તરદ, કાદર અબ્દુલ તરદ અને રજાક અબ્દુલ તરદ નામના ત્રણ શખ્સોને ફરિયાદી શબીરભાઈએ ના કહેતા આ બાબતે ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય આરોપીઓએ એકસંપ કરી, શબીરભાઈ સાથે બોલાચાલી કરી હતી.
આટલું જ નહીં, આરોપીઓએ બેફામ માર મારી, છરી વડે હુમલો કરી, ઈજાઓ પણ કરી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે બીએનએસ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.