કિશનગઢ સ્ટેશન પર પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસનું નવું સ્ટોપેજ
મુસાફરોની સુવિધા માટે રેલવેનો મહત્વપૂર્ણ નિર્ણય
ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અજમેર અને જયપુર ડિવિઝન હેઠળની કેટલીક ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન સંખ્યા 19269/19270 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસને રાજસ્થાનના કિશનગઢ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
નવું સ્ટોપેજ — સમયપત્રક
1) ટ્રેન સંખ્યા 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ
પોરબંદરથી 9 જાન્યુઆરી, 2026 થી ઉપડનારી આ ટ્રેનનું કિશનગઢ સ્ટેશન પર:
આગમન: 12:22 કલાકે
પ્રસ્થાન: 12:24 કલાકે
2) ટ્રેન સંખ્યા 19270 મુઝફ્ફરપુર–પોરબંદર એક્સપ્રેસ
મુઝફ્ફરપુરથી 11 જાન્યુઆરી, 2026 થી ઉપડનારી આ ટ્રેનનું કિશનગઢ સ્ટેશન પર:
આગમન: 20:11 કલાકે
પ્રસ્થાન: 20:13 કલાકે
આ વધારાનું સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે આગામી આદેશ સુધી અમલમાં રહેશે. આ નિર્ણયથી કિશનગઢ અને આસપાસના વિસ્તારોના મુસાફરોને મુસાફરીમાં નોંધપાત્ર સુવિધા પ્રાપ્ત થશે..