ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા હાલ રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. તે કર્ણાટક ટીમમાં છે. ઇંગ્લેન્ડ સામેની તાજેતરની ટેસ્ટ શ્રેણી માટે કૃષ્ણાને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું નથી. ભારતે પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. દરમિયાન, કૃષ્ણા મૂશ્કેલીમાં મૂકાઇ ગયો છે. તે કર્ણાટક અને ગુજરાત વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો.
વાસ્તવમાં અમદાવાદમાં ગુજરાત અને કર્ણાટક વચ્ચે મેચ રમાઈ રહી છે. એક અહેવાલ અનુસાર અનુસાર, પ્રસિદ્ધ કૃષ્ણા આ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ગુજરાત સામેની મેચમાં ક્રિષ્ના પોતાની 15મી ઓવર ફેંકી રહ્યો હતો. આ દરમિયાન તે પાંચમા બોલ બાદ ઈજાગ્રસ્ત થયો હતો. ઇજા થવાને કારણે ક્રિષ્નાને મેચની વચ્ચે જ મેદાન છોડવું પડ્યું હતું. તેણે આ મેચમાં 14.5 ઓવર નાખી અને 2 વિકેટ ઝડપી. હતી. આ સાથે તેણે 4 મેડન ઓવર પણ ફેંકી હતી.
નોંધનીય છે કે પ્રસિદ્ધ કૃષ્ણાએ ટીમ ઈન્ડિયા માટે 2 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 2 વિકેટ પણ લીધી છે. કૃષ્ણાએ ટીમ ઈન્ડિયા માટે 17 વનડે મેચ રમી છે. તેણે આ ફોર્મેટમાં 29 વિકેટ લીધી છે. ક્રિષ્નાનું એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. તેણે 14 ફર્સ્ટ ક્લાસ મેચમાં 56 વિકેટ લીધી છે. આ સાથે તેણે 67 લિસ્ટ એ મેચમાં 113 વિકેટ ઝડપી છે.
તમને જણાવી દઈએ કે ભારતે હાલમાં જ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં પ્રસિધ્ધ કૃષ્ણાને સ્થાન મળ્યું નથી. પ્રસિદ્ધ કૃષ્ણાની ઈજા બાદ તેના રમવાની શક્યતાઓ ઘણી ઓછી છે. હાલમાં, આ વિશે સત્તાવાર માહિતી પણ જાહેર કરવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech