BREAKING NEWS

દ્વારકાની પાવન ભૂમિ ખાતે ગોમતી ઘાટે ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુની પ્રાર્થના કરી

  • September 18, 2026 11:06 AM 

દ્વારકાની પાવન ભૂમિ ખાતે ગોમતી ઘાટે ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુની પ્રાર્થના કરી

સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના મહાનુભાવો આરતી કરી
​​​​​​​

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તથા વડાપ્રધાન તરીકેના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે જનસેવા થી રાષ્ટ્ર સેવાના વડાપ્રધાનના સંકલ્પને બીરદાવવા ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ ખાતે નાગરિકોએ  ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી વડાપ્રધાનની જનસેવાને બિરદાવી હતી. 

આ તકે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, ધારાસભ્ય પબુભા માણેક, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કે.પી.જોશી, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, પ્રાંત અધિકારી વાય.પી.ગઢવી સહિત સ્થાનિક અગ્રણીઓ તેમજ નાગરિકો જોડાયા હતા. 
​​​​​​​

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનસેવાના સંકલ્પને તા .૧૭ સપ્ટેમ્બરથી તા.૧૭ ઓક્ટોબર એમ એક મહિના સુધી રાજ્યભરમાં સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો છે.  આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application