BREAKING NEWS

જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજમાં ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્ર્મોનો કારકિર્દી માર્ગદર્શન માટેનો સેમિનાર યોજાશે

  • May 20, 2026 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્ર્મોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્ર્મોના કારકિર્દી માર્ગદર્શન માટેનો સેમિનાર તારીખ ૨૧/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ કલાકે, સેમિનાર હોલ, ન્યુ બિલ્ડીંગ, સરકારી પોલીટેકનીક, વાલસુરા રોડ, જામનગર ખાતે યોજાનાર છે. આ સેમિનારમા સરકારી પોલીટેકનીક જામનગરના નિષ્ણાંતો માર્ગદર્શન પુરુ પાડશે. આ સેમિનારનો પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો મહતમ લાભ લે તે માટે આચાર્યશ્રી સરકારી પોલીટેકનીક, જામનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application