મહારાષ્ટ્રના નાગપુર માતા-પિતા સાથેના સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો 25 વર્ષના વિદ્યાર્થીએ પોતાના જ માતા-પિતાની હત્યા કરી નાખી છે. હત્યાનું કારણ સૌથી વધુ ચોંકાવનારું છે. હકિકતમાં યુવક એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને વારંવાર નાપાસ થતો હતો. આથી તેના માતા-પિતા અન્ય કોલેજમાં એડમિશન લેવા દબાણ કરી રહ્યા હતા. જેનાથી પુત્ર રોષે ભરાયો હતો અને માતા-પિતાને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા.
26 ડિસેમ્બરે જ હત્યા કરી નાખી હતી
1 જાન્યુઆરીએ પોલીસને ફોન આવ્યો કે, કપિલનગર વિસ્તારમાં એક ઘરમાં બે મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને ઘરમાંથી બે લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યા હતા. તેણે 26 ડિસેમ્બરે જ તેના માતા-પિતાની હત્યા કરી હતી. પહેલા તેણે તેની માતાનું ગળું દબાવી હત્યા કરી અને પછી તેના પિતાની છરી વડે હત્યા કરી. પોલીસે હત્યારા પુત્ર ઉત્કર્ષ ડાખોલેની ધરપકડ કરી છે.
અગાઉ દિલ્હીમાં આવી ઘટના બની હતી
ગત ડિસેમ્બરમાં દિલ્હીના નેબ સરાયના દેવલી ગામમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં 20 વર્ષીય અર્જુને તેના માતા-પિતા અને બહેનનો જીવ લીધો હતો. પોલીસને માનવામાં નહોતું આવતું કે, માત્ર 20 વર્ષનો અર્જુન શા માટે અને કેવી રીતે તેના માતા-પિતા અને બહેનની હત્યા કરી શક્યો?
અર્જુન માતા-પિતાના વર્તનથી નાખુશ હતો
આ સવાલનો જવાબ જાણવા પોલીસ હવે સંબંધીઓ અને પડોશીઓની પૂછપરછ કરી હતી. બાદમાં અર્જુનની પૂછપરછ કરતા તેણ પોલીસને જણાવ્યું હતું કે, પોતે માતા-પિતાના વર્તનથી નાખુશ હતો. માતા-પિતા પોતાના કરતા તેની બહેનને વધુ પ્રેમ કરતા હતા. આ બાબતે તે નારાજ હતો અને માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech