રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ યોજી પ્રેસ કોન્ફરન્સ : રાહુલે કહ્યું, “આ દેશમાં લોકશાહી જ નથી”
આજે કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં મલ્લિકાર્જુન ખડગે સહીત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના ખાતા ફ્રીઝ કરવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે દેશમાં લોકશાહી નથી. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ હોવાની વાત ખોટી છે. કોંગ્રેસના બેંક અકાઉન્ટસ ફ્રીઝ કરવાના નિર્ણય સામે આજે પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી પ્રચાર માટે તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકતા નથી. જે બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
ગયા મહિને આવકવેરા વિભાગે કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. આને લઈને ઘણો વિવાદ થયો હતો અને પાર્ટીએ સરકાર પર ઈરાદાપૂર્વક આ પગલાં લેવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, વિભાગે કહ્યું કે 2018-19 માટે આવકવેરો ભરવામાં અનિયમિતતા જોવા મળી હતી, જેના પછી આ પગલું લેવામાં આવ્યું છે. ઈન્કમટેક્સનો આરોપ છે કે કોંગ્રેસ પાર્ટીના ઓડિટરોએ પૈસાનો દુરુપયોગ કર્યો છે. તેણે પક્ષ પર ટેક્સ સંબંધિત ગુનાઓમાં સામેલ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
રાહુલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો હિસાબ નહીં પરંતુ લોકશાહી સ્થિર થઈ ગઈ છે. બેંક ખાતાઓ ફ્રીઝ થવાના કારણે અમે અમારા નેતાઓ, કાર્યકરો અને ઉમેદવારોને મદદ કરી શકતા નથી. કોંગ્રેસ પાસે પોતાના નેતાઓને મદદ કરવા માટે 2 રૂપિયા પણ નથી. ટિકિટ ખરીદવા માટે પણ પૈસા નથી. રાહુલે કહ્યું, "દેશમાં દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારે તેનું બેંક ખાતું, એટીએમ કાર્ડ અથવા તેની નાણાકીય ઓળખ ભૂંસી નાખવામાં આવે છે ત્યારે કેટલી મુશ્કેલી આવે છે. જો કોઈ પણ પરિવાર સાથે આવું કરવામાં આવશે, તો તે ભૂખે મરી જશે. કોંગ્રેસ સાથે પણ આવું જ કરવામાં આવ્યું છે."
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસને આર્થિક રીતે પંગુ પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકશાહી માટે ચૂંટણી જરૂરી છે અને તમામ રાજકીય પક્ષોને સમાન તક મળે તે પણ જરૂરી છે. ખડગેએ કહ્યું, "એવું ન હોવું જોઈએ કે સત્તામાં રહેલા લોકોનો સંસાધનો પર એકાધિકાર હોય અને દેશની સંસ્થાઓ પર નિયંત્રણ હોય. ચૂંટણી બોન્ડ દ્વારા, જેને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યું છે, ભાજપે તેના ખાતામાં હજારો રૂપિયા જમા કરાવ્યા છે. કોંગ્રેસના બેંક ખાતાઓમાંથી લેવડદેવડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી અમે પૈસાના અભાવને કારણે સમાન ધોરણે ચૂંટણી લડી શકતા નથી."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech