પતંજલિ આયુર્વેદ લિમિટેડ વિરુદ્ધ ભ્રામક જાહેરાતના કેસમાં યોગ ગુરુ રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણે ફરી એકવાર જાહેરમાં માફી માંગી છે. સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ તેમણે ફરીથી અખબારોમાં જાહેરાતો આપી અને લખ્યું કે અમે બિનશરતી માફી માંગીએ છીએ. પતંજલિએ મંગળવારે માફી પણ માંગી હતી. પરંતુ કોર્ટે માફીના કદ પર સવાલ ઉઠાવ્યા હતા. પૂછ્યું હતું કે શું માફીનું કદ દવાઓની ભ્રામક જાહેરાતો જેટલું મોટું છે?
આજે, 24 માર્ચના રોજ પ્રસિદ્ધ કરાયેલી જાહેરાતમાં અખબારોના ચોથા ભાગને આવરી લેવામાં આવ્યા છે. તેનું શીર્ષક બિનશરતી જાહેર માફી છે. તેમ લખાયું છે કે, ભારતની માનનીય સર્વોચ્ચ અદાલત સમક્ષ ચાલી રહેલા કેસ (રિટ પિટિશન સી. નં. 645/2022)ને ધ્યાનમાં રાખીને, અમે, અમારી વ્યક્તિગત ક્ષમતા તેમજ કંપની વતી, બિનશરતી માફી માંગીએ છીએ.
તેમાં વધુમાં લખાયું છે કે, 22.11.2023 ના રોજ મીટિંગ/પ્રેસ કોન્ફરન્સ યોજવા બદલ અમે બિનશરતી માફી માંગીએ છીએ. અમારી જાહેરાતો પ્રકાશિત કરવામાં અમે કરેલી ભૂલ માટે અમે દિલથી ક્ષમાપ્રાર્થી છીએ અને અમારી સંપૂર્ણ પ્રતિબદ્ધતા છે કે આવી ભૂલોનું પુનરાવર્તન નહીં થાય. અમે માનનીય અદાલતના નિર્દેશો અને સૂચનાઓનું યોગ્ય કાળજી અને અત્યંત ઇમાનદારી સાથે પાલન કરવાનું વચન આપીએ છીએ. અમે કોર્ટની ભવ્યતા જાળવવા અને માનનીય કોર્ટ/સંબંધિત સત્તાવાળાઓના લાગુ કાયદા અને સૂચનાઓનું પાલન કરવાનું વચન આપીએ છીએ. આપની, પતંજલિ આયુર્વેદ લિમિટેડ, આચાર્ય બાલકૃષ્ણ, સ્વામી રામદેવ, હરિદ્વાર, ઉત્તરાખંડ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech