દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન રોકવા માટે હાઈકોર્ટ પહોંચેલી EDએ પોતાનો લેખિત જવાબ દાખલ કર્યો છે. કથિત શરાબ કૌભાંડમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના વડાના જામીન રદ કરવાની માંગ કરતા EDએ કહ્યું છે કે તેની પાસે મજબૂત અને નવા પુરાવા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગોવામાં આમ આદમી પાર્ટીના નેતાઓના રેકોર્ડ કરેલા નિવેદનોને પણ ટાંક્યા છે. આ દરમિયાન દિલ્હી સરકારે ખોટા પુરાવા ઘડવાનો આરોપ લગાવ્યો છે.
EDએ આજે દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલના જામીનને પડકારતી અરજી પર પોતાનો લેખિત જવાબ દાખલ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ કહ્યું કે તેમની પાસે કેજરીવાલ વિરુદ્ધ મજબૂત પુરાવા છે. નવા પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા છે. કેજરીવાલને જામીન પર છોડી શકાય નહીં. EDએ 29 પેજમાં તેનો લેખિત જવાબ દાખલ કર્યો છે. હાઈકોર્ટે બંને પક્ષોને 24મી જૂનની સાંજ સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. કોર્ટ મંગળવાર સુધીમાં આ મામલે પોતાનો નિર્ણય આપી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ પોતાના લેખિત જવાબમાં કહ્યું છે કે નવા પુરાવા સામે આવ્યા છે. ગોવાના 'આપ'ના 13 હવાલા ડીલર અને સ્થાનિક નેતાઓના નિવેદન લેવામાં આવ્યા છે. તેમના નિવેદનોથી સ્પષ્ટ થયું છે કે ગોવા ચૂંટણી માટે હવાલા દ્વારા ત્યાં પૈસા કેવી રીતે મોકલવામાં આવ્યા હતા. EDએ કહ્યું કે નીચલી કોર્ટે આ મહત્વપૂર્ણ તથ્યોને અવગણીને ખોટી રીતે કેજરીવાલના જામીન મંજૂર કર્યા છે. કેજરીવાલનો જામીનનો આદેશ સંપૂર્ણપણે ગેરકાયદે અને અમાન્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech