કાલાવડના નવાગામ સીમમાં એમ.પી.ની યુવતિએ ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ થયુ છે. બે દિવસ બાદ વતનમાં દિવાળી કરવા જવાનું કહેતા આ બાબતમાં મનમાં લાગી આવતા પગલુ ભરી લીધી હતુ.
મુળ મઘ્યપ્રદેશ દોતડ ગામના વતની અને હાલ કાલાવડ નવા ગામ સીમ વિસ્તારમાં રહેતી રેખાબેન વિક્રમભાઇ મેંડા ઉ. 22નામની યુવતિને દિવાળી કરવા પોતાના વતનમાં માવતરના ઘરે જવુ હોય તેથી તેણીના પતિએ તથા સાસુ સસરાએ બે દિવસ પછી બધા સાથે વતનમાં જશુ તેમ કહ્યુ હતું.
દરમ્યાન રેખાબેનને આ બાબતનુ મનમાં લાગી આવતા પોતાની મેળે તા.27ના પ્લાસ્ટીકની દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા કાલાવડ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ ત્યાં ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે હાલ ગોંડલ વિસ્તારમાં નારીયાભાઇ વસનાભાઇ ભુરીયાએ ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech