PM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન: દરેક મહત્વનો મુદ્દો વાંચો આ પોસ્ટમાં

  • May 12, 2025 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધિત કરતા 'ઓપરેશન સિંદૂર' અંગે વાત કરી હતી. તેમણે સશસ્ત્ર દળોને સલામ પાઠવતા કહ્યું કે, "આ ઓપરેશનમાં આપણા જવાનોએ જે શૌર્ય અને સંયમ દાખવ્યું છે, તે દેશ માટે ગર્વની વાત છે."


દુશ્મનોને સ્પષ્ટ સંદેશ આપ્યો
વડાપ્રધાને 'ઓપરેશન સિંદૂર'ને દેશની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "આ ઓપરેશન દ્વારા આપણે દુશ્મનોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત પોતાની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે."


સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓના તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન મોદીએ 'ઓપરેશન સિંદૂર'ના સફળ સંચાલન માટે સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓના તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, "તમારા બલિદાન અને સમર્પણને દેશ ક્યારેય નહીં ભૂલે."


'ઓપરેશન સિંદૂર'ને ન્યાયની અખંડ પ્રતિજ્ઞા ગણાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓપરેશન સિંદૂર'ને ન્યાયની અખંડ પ્રતિજ્ઞા ગણાવ્યું છે. તેમણે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ક્રૂરતા અને બર્બરતાની પરાકાષ્ઠા ગણાવતા કહ્યું કે આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.


ઓપરેશન સિંદૂર' એ ન્યાય અપાવવાની દિશામાં એક મજબૂત પગલું
વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધતા જણાવ્યું કે 'ઓપરેશન સિંદૂર' એ માત્ર એક સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ તે પીડિતોને ન્યાય અપાવવાની અને આવા કૃત્યો કરનારાઓને સખત સજા આપવાની ભારતની અડગ પ્રતિબદ્ધતા છે. તેમણે કહ્યું કે પહલગામમાં જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો, તેમના પરિવારોની પીડાને દેશ ક્યારેય નહીં ભૂલે અને 'ઓપરેશન સિંદૂર' એ તેમને ન્યાય અપાવવાની દિશામાં એક મજબૂત પગલું છે.


જવાનોએ અત્યંત સાહસ અને સમજદારીથી આ ઓપરેશનને પાર પાડ્યું
વડાપ્રધાન મોદીએ ભારતીય સુરક્ષા દળોના શૌર્ય અને સંયમની પ્રશંસા કરતા કહ્યું કે જવાનોએ અત્યંત સાહસ અને સમજદારીથી આ ઓપરેશનને પાર પાડ્યું છે. તેમણે દેશના નાગરિકોને શાંતિ અને એકતા જાળવી રાખવા અપીલ કરી અને સરકારના પ્રયાસોમાં સહકાર આપવા માટે આહ્વાન કર્યું.


આ ઓપરેશન આતંકવાદીઓ માટે એક જોરદાર ફટકો સાબિત થયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા અંગે વાત કરતા જણાવ્યું કે આ ઓપરેશન આતંકવાદીઓ માટે એક જોરદાર ફટકો સાબિત થયું છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહી દ્વારા ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદીઓના નેટવર્કને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેમની કમર તોડી નાખી છે.


પહલગામ હુમલાના ગુનેગારોને સજા આપવાની દિશામાં એક નિર્ણાયક પગલું
વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધતા કહ્યું કે 'ઓપરેશન સિંદૂર' એ પહલગામ હુમલાના ગુનેગારોને સજા આપવાની દિશામાં એક નિર્ણાયક પગલું છે. તેમણે ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓની પ્રશંસા કરતા કહ્યું કે તેમના વીર જવાનોએ પોતાની જાંબાઝીથી દુશ્મનોને તેમની જગ્યા દેખાડી દીધી છે.


ભારત કોઈપણ પ્રકારના આતંકવાદને સહન નહીં કરે
વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત કોઈપણ પ્રકારના આતંકવાદને સહન નહીં કરે અને દેશની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે દેશના નાગરિકોને શાંતિ અને એકતા જાળવી રાખવા અને સરકારના પ્રયાસોને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું.

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા દરેક હુમલાને હવામાં નષ્ટ કરવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા વર્ણવતા જણાવ્યું કે ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા દરેક હુમલાના પ્રયાસને હવામાં જ નષ્ટ કરી દીધો છે. તેમણે વધુમાં કહ્યું કે આ ઓપરેશનમાં પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓના ઠેકાણાઓને ખંડેરમાં ફેરવી દેવામાં આવ્યા છે.


પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા ખંડેરમાં ફેરવાઈ ગયા
વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધતા જણાવ્યું કે પહલગામ હુમલાના જવાબમાં શરૂ કરાયેલું 'ઓપરેશન સિંદૂર' પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યું છે. ભારતીય સેનાની સતર્કતા અને બહાદુરીના કારણે દુશ્મનોના તમામ નાપાક ઈરાદાઓ નિષ્ફળ રહ્યા છે. તેમણે ભારતીય સેનાની ત્રણેય પાંખો અને સુરક્ષા એજન્સીઓના સંકલિત પ્રયાસોની પ્રશંસા કરી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application