મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટી અને આજકાલના સિનિયર રિપોર્ટર, સામાજિક કાર્યકર હિરેન ગુણવંતરાય ત્રિવેદીને તાજેતરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તેમની સેવાકીય પ્રવૃતિ માટે ગૌરવવંતો પરશુરામ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હિરેન ત્રિવેદીએ અગાઉ ૫૫ વખત રક્તદાન કર્યું છે. ખાસ કરીને થેલેસેમિયાના બાળકો માટે અનેક વખત રક્તદાન કેમ્પો કર્યા છે. ઉપરાંત આંખના ઓપરેશન નો કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તક સહાય. ગરીબ વિદ્યાર્થીઓની શાળાઓની ફી ભરી આપવી, સહિતના અનેક સેવાકીય અને સામાજિક કામો કરવામાં તેઓ સદાય અગ્રેસર રહ્યા છે.
વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે તેઓ કામ કરી રહ્યા છે તેમની ૩૮ વર્ષની પત્રકાર તરીકેની કારકિર્દીમાં અનેક વીવીઆઈપી મહાનુભાવોના તેઓ ઇન્ટરવ્યૂ પણ લઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ગુજરાતી હાલારી સમવાય ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. અગાઉ તેઓ યુવા સોશ્યલ ગ્રુપ જામનગર તાલુકા અભ્યુદય મંડળ જામનગર સહિતની અનેક સંસ્થાઓમાં સેવા આપી ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application