નાગરાજધામ સાતોદડમાં લોહાણા જ્ઞાતિના ૧૯માં સમૂહ લગ્ન યોજાશે

  • January 01, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગદેવતાના સાનિધ્યમાં હિંડોચા પરિવાર દ્વારા સતત ૧૯મા વર્ષે આયોજન: નામ નોંધાવવા અપીલ


નાગરાજ ધામ સાતોદડ ખાતે હિંડોચા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ફક્ત લોહાણા જ્ઞાતિના દીકરા-દીકરીઓ માટે ૧૯મો સમૂહ લગ્ન સમારોહ યોજાનાર છે. જેમાં જોડાવા માંગતા દીકરા-દીકરીઓના વાલીને સંપર્ક કરવા અપીલ કરાઇ છે.


હિંડોચા પરિવાર દ્વારા જામકંડોરણા તાલુકાના સાતોદડ ખાતે કુળદેવી માતાજી તથા સુરાપુરા બાપાના મંદિરના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત લોહાણા સમાજના દીકરા-દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. હાલ સુધીમાં ટ્રસ્ટ દ્વારા કુલ ૧૮ સમૂહ લગ્ન સંપન્ન થયેલ છે.


આગામી તા.૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫ને  રવિવારના રોજ ૧૯મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્નમાં જોડાવવા માંગતા ફક્ત લોહાણા સમાજના દીકરા-દીકરીઓએ પોતાના નામ નોંધણી માટે રાજકોટ સ્થિત ભુપતભાઇ હિંડોચા મોબાઇલ નંબર ૯૯૨૫૯ ૯૯૦૯૯ અથવા કનુભાઇ હિંડોચા મોબાઇલ નંબર ૯૭૨૩૪ ૫૭૫૮૦ ઉપર સંપર્ક કરવા હિંડોચા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.


આ તકે સમગ્ર સૌરાષ્ટ્રના ગામે ગામના લોહાણા મહાજનોને પણ અનુરોધ કરાયો છે કે જો તેમના ગામમાંથી કોઇ પરિવાર ઉપરોક્ત સમૂહ લગ્નોત્સવમાં નામ નોંધણી કરાવવા ઇચ્છતા હોય મહાજન ઉપરોક્ત નંબર ઉપર સંપર્ક કરી શકે છે, વર અને કન્યા બન્ને લોહાણા સમાજના હોય તો જ સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application