જામનગર નજીક નાઘેડી માં રહેતા અને ભારતીય આર્મીમાં ફરજ બજાવતા એક જવાને પોતાની નોકરી છોડીને ઘેર પરત આવી ગયા પછી દારૂની લતના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના લાવડીયા ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા મહાવીરસિંહ ઉર્ફે મુન્નાભાઈ જાડેજા (૪૧) કે જેઓ જમ્મુ કાશ્મીરના આખનુર વિસ્તારમાં ભારતીય આર્મીમાં નોકરી કરતા હતા, અને એકાએક નોકરી છોડીને પરત આવી ગયા હતા, દરમિયાન તેઓ સતત દારૂનો નશો કરતા હતા, અને ઘર પરિવારના તમામ સભ્યોને હેરાન પરેશાન કરી મનમાની કરતા હોવાનું પોલીસ સમક્ષ જાણવા મળ્યું છે.
પોતાની દારૂ પીવાની લતના કારણે ગઈકાલે પોતાના હાથે પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ હરદેવસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં પંચપોથી બી ડિવિઝનના પ્રોબેશન પી.એસ.આઇ એચ વી રોયલા સમગ્ર મામલ ની ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયાના રામનગર ગ્રામ પંચાયતમાં કપચી નાખીને માર્ગનું કામ અધૂરું રખાતા વ્યાપક રોષ
May 23, 2025 12:12 PMબિગ બોસ-19 વર્ષોથી ચાલી રહેલા ફોર્મેટને બદલશે, મોટા ફેરફારો થશે
May 23, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech