અરવિંદ કેજરીવાલે રાજકોટમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભામાં પહોંચી શ્રદ્ધાંજલિ પાઠવી, અંજલિબેનને પોતાની સંવેદના વ્યક્ત કરી

  • June 17, 2025 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા ગઈકાલે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે તેમની પ્રાર્થનાસભા રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાખવામાં આવી છે. જ્યાં મોટી સંખ્યામાં નેતાઓ અને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વિજયભાઈના પત્ની અંજલીબેન રૂપાણી, પુત્ર ઋષભ અને દીકરી રાધિકાએ પણ વિજયભાઈની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવી પહોંચ્યા હતા. 


અંજલીબેનને પોતાની સંવેદના વ્યક્ત કરી 

અરવિંદ કેજરીવાલે સ્વ.વિજયભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને અંજલીબેનને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. બાદમાં તેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં પ્લેન ક્રેશન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. જેઓ આ ઘટનામાં સ્વર્ગ સીધાવ્યા છે. મેં તેમના પત્ની અંજલીબેનને મારી સંવેદના વ્યક્ત કરી હતી. વિજયભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી ઇશ્વરના શરણોમાં પ્રાર્થના. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News