મ્યુ.કમિશ્નરે વોર્ડ નં.7માં ભૂગર્ભ ગટરની પાઇપલાઇનના હીસાબે રસ્તો બંધ કરી શ્યામ હેરીટેજ સોસાયટીથી નાઘેડી તરફનો માર્ગ વૈલ્પીક ટ જાહેર કરવા આપીશ નોટીસ
જામનગર શહેરમાં હવે શેરી-ગલીમાં પણ ભુગર્ભ ગટરની કામગીરી શ થઇ છે, પંચેશ્ર્વર ટાવર પાસે ભૂગર્ભ ગટરની કામગીરી શ થયા બાદ વોર્ડ નં.7માં એકલીંગજી સોસાયટીથી જામનગર બાયપાસ સુધીનો રસ્તો બંધ કરવા માટે મ્યુ.કમિશ્નરે એક જાહેરનામુ બહાર પાડયું છે અને વૈકલ્પીક માર્ગ તરીકે શ્યામ હેરીટેજ સોસાયટીથી નાઘેડી તરફનો માર્ગ વૈકલ્પીક ટ તરીકે જાહેર કરાયો છે.
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે કે, વોર્ડ નં.7માં આવેલ એકલીંગજી સોસાયટીથી જામનગર બાયપાસ સુધીના રસ્તામાં ભૂગર્ભ ગટર પાઇપલાઇનની કામગીરી કરવામાં આવશે, સલામતીના ભાગપે અને અકસ્માત નીવારવાના હેતુથી આ માર્ગ તા.9 જાન્યુઆરીથી 8 માર્ચ 2025 એટલે કે બે મહીના સુધી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. વૈકલ્પીક વ્યવસ્થાના પે એકલીંગજી સોસાયટીના ગેઇટથી શ્યામ હેરીટેજ સોસાયટી થઇ પાલમ ન્યુ સોસાયટી થઇ નાઘેડી ગામ તરફ જતાં રોડ તરફનો માર્ગ પરીવહન માટે ખુલ્લો રખાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech