સલૂનના ધંધામાં ખોટ જવાથી ૧ લાખ દહેજની માંગણી સાથે પતિ-સાસુ-જેઠ તેમજ સલૂનની મહિલા કર્મચારી સામે ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવાઈ
જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતી એક પરણીતાએ બરોડામાં રહેતા પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે પોતાને દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી માવતરે થી એક લાખ રૂપિયા ની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવાઈ છે. પોલીસે પતિ સાસુ દિયર અને સલુનની મહિલા કર્મચારી સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતી ચાંદનીબેન પ્રદીપભાઈ સોલંકી નામની ૨૮ વર્ષની પરણીત મહિલા કે જેના લગ્ન ૨૦૨૧ ની સાલમાં બરોડામાં રહેતા રાજેન ભરતભાઈ પરમાર સાથે થયા હતા. જે લગ્નજીવન દરમિયાન પુત્રનો જન્મ થયો હતો.
ચાંદનીબેનને શરૂઆતમાં સારી રીતે રાખ્યા પછી હાલમાં થોડા સમયથી તેણી પર ત્રાસ ગુજારવાનું શરૂ કરવામાં આવ્યું હતુંઝ અને તું દહેજમાં કશું લાવી નથી, તેમ કહી મારકુટ કરવામાં આવતી હતી. ચાંદની બેન નો પતિ રાજેન ભરતભાઈ બરોડામાં સલૂન ચલાવે છે. જે શલૂન ના ધંધામાં ખોટ ગઈ હોવાથી એક લાખ રૂપિયા ની માંગણી સાથે ચાંદનીબેનને પતિ દ્વારા મારકુટ કરવામાં આવતી હતી, અને તેમાં સાસુ, જેઠ તેમજ સલૂનમાં કામ કરતી રચના ઠાકુર પણ મદદગારી કરતી હતી.
થોડા દિવસ પહેલા ચાંદની બેનને મારકુટ કરવામાં આવતી હતી, જે દરમિયાન તેણે પોતાના માવતરે ફોન કરતાં જામનગર થી તેણીના પિતા એ બરોડા પોલીસને જાણ કરી હોવાથી બરોડાની પોલીસ ટુકડી ચાંદનીબેનના ઘેર પહોંચી હતી, અને ત્યાંથી તેણીને છોડાવી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવી હતી, અને ચાંદની બેન ત્યાંથી પોતાના માવતરે જામનગર આવી ગઈ હતી.
ત્યારબાદ તેણીને પતિ સાસુ વગેરે તેડવા નહીં આવતાં આખરે જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એન.એમ.ઝાલા એ ચાંદનીબેનના પતિ રાજેન ભરતભાઈ પરમાર, સાસુ અરુણાબેન પરમાર, જેઠ હિરલભાઈ પરમાર તેમજ સલૂનમાં કામ કરતી મહિલા રચના ઠાકુર સામે દહેજ પ્રતિબંધક ધારા ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર બરોડા સુધી લંબાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકર્લી જળાશયમાં શ્ર્વાનનો ત્રાસ વધ્યો
May 16, 2025 02:39 PMચોમાસુ શરુ થાય તે પહેલા રોડના કામો હાથ ધરવા સ્ટેન્ડીંગ કમિટીમાં તાકીદ
May 16, 2025 02:39 PMસાઇબર ફ્રોડમાં ગયેલા રૂ. ૮૯,૫૦૦ કમલાબાગ પોલીસે અપાવ્યા પરત
May 16, 2025 02:38 PMસિંધી સમાજના સંતની પુત્રીએ બોર્ડમાં મેળવ્યું શ્રેષ્ઠ પરિણામ
May 16, 2025 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech